મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકે દીકરાના લગ્નમાં કોરોનાના નિયમોની ઐસીતૈસી કરી છે.
દીકરાના લગ્નમાં કોરોનાના નિયમોની એંસીતેંસી કરી છે
પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ
અનેક નેતા લગ્નમાં પહોંચ્યા હતા
દીકરાના લગ્નમાં કોરોનાના નિયમોની ઐસીતૈસી કરી છે
મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેમણે પૂણેમાં પોતાના દીકરાના લગ્નમાં કોરોનાના નિયમોની ઐસીતૈસી કરી છે. લગ્ન રવિવારે પૂણેના હદપસર વિસ્તારમાં થયા હતા. આ મામલામાં વધું 2 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બન્ને લક્ષ્મી લોન્સના માલિક અને મેનેજર છે. લગ્ન અહીં યોજાયા હતા.
દીકરાના લગ્નમાં એક હજારથી વધારે ગેસ્ટ
મહાદિકના દીકરાના લગ્નમાં એક હજારથી વધારે ગેસ્ટ પહોંચ્યા હતા. જ્યારે સરકારે પૂર્ણેમાં કોઈ પણ લગ્ન સમારોહમાં 200થી વધારે મહેમાનોને આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મનાઈ રહ્યું છે તે ગત દિવસોમાં ખુદ એનસીપીના એક નેતાના ઘરમાં લગ્નને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
અનેક નેતા લગ્નમાં પહોંચ્યા હતા
આ લગ્ન સમારોહમાં નેતાઓના જમાવડો જોવા મળ્યો હતો. એનસીપી પ્રમુખ શહરદ પવાર, બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પણ સામિલ થયા હતા. ફડણવીસ વગર માસ્કે પહોંચ્યા હતા. આ ઉપરાંત લગ્ન સમારોહમાં સંજય રાઉત અને અરવિંદ સાવંતે પણ નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળ્યા હતા.
લોકડાઉનની ચેતવણી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોરોનાના નિયમોને નહીં માનો તો પૂરા રાજ્યામાં ફરી લોકડાઉન લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે કોવિડ -19ના વધતા મામલાના ચાલતા રાજ્યમાં સોમવારે તમામ રાજનીતિક, ધાર્મિક અને સામાજિક જમાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે કેસ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં કોરોનાની વધું એક લહેર આવી રહી છે. આ સોમવારે કોરોનાના 5210 નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા સતત 3 દિવસ સુધી પ્રતિદિન સંક્રમણના 6 હજારથી વધારે મામલા સામે આવી રહ્યા હતા. રાજ્યમાં કુલ મામલા વધીને21,06, 094 થઈ ગઈ છે. રાજ્ય સરકાર અનુસાર સોમવારે કોવિડ 19થી 18 અને દર્દીઓની મોત થઈ ગઈ છે. જે બાદ મૃતક સંખ્યા વધીને 51, 806 થઈ ગઈ છે.