મહેસાણા: ઉંઝાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ખેડૂતોની મદદ કરવા માટે નારાયણ પટેલે CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
નારાયણ પટેલે ખેડૂતોને કૃષિ ઈનપુટ સહાય આપવાની માગને લઈને નારાયણ પટેલે પત્ર લખ્યો છે. મહત્વનુ છે કે સરકાર દ્વારા 250થી 400 મીમીવરસાદ વાળા તાલુકાઓને સહાયની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ વખત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ઓછો પડ્યો છે. જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા હતા. ત્યારે ઉંઝા તાલુકામાં 239 મીમી વરસાદ નોંધાયો છે. ઉંઝાને અછતગ્રસ્ત તાલુકાઓની યાદીમાં સમાવેશ ન કરવામાં આવતા નારાયણ પટેલ નારાજ થયા છે..