હાથરસ ગેંગરેપ પીડિતા નો કેસ જટિલ બની રહ્યો છે. પરિવાર અને પોલીસના જુદા જુદા નિવેદનો નો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આ કેસમાં નવો વળાંક આવ્યો છે.શુક્રવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજવીરસિંહ પહેલવાને મહિલાની હત્યા માટે પરિવારના સભ્યોને દોષી ઠેરવ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો કે યુવતીની હત્યા તેના ભાઈ અને માતાએ જ કરી હતી.
ભાજપના પૂર્વ ધારાસભ્યનો દાવો
હાથરસ કાંડ મામલે કર્યું મોટું નિવેદન
તેમણે કહ્યું,"ચારેય યુવકો નિર્દોષ છે"
તેઓ કહે છે કે ચારેય યુવકો નિર્દોષ છે અને તેમને ફસાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે સાંસદ રાજવીર સિંહ દિલેર વિશે કહ્યું છે કે "જનતા તેમને પાઠ ભણાવશે."
પૂર્વ ધારાસભ્ય ઠાકુર છે અને સાંસદ વાલ્મીકી જ્ઞાતિના છે
ઉલ્લેખનીય છે કે સાંસદ રાજવીર સિંહ દિલેર ભાજપ ના જ સભ્ય છે.તે વાલ્મીકી જ્ઞાતિના છે જ્યારે રાજવીર સિંહ પહેલવાન ઠાકુર જ્ઞાતિમાંથી આવે છે.
એક આરોપીના પિતાએ કહ્યું વાલ્મીકી જ્ઞાતિના સાંસદે મારા પુત્ર ને ફસાવ્યો
નોંધનીય છે કે એક આરોપી રામુના એક પિતા રાકેશે આક્ષેપ કર્યો હતો કે તેના પુત્રને પ્રદેશ સાંસદ રાજવીર દિલેર અને તેની પુત્રી મંજુ દિલેર દ્વારા આ કેસમાં ફસાવવામાં આવ્યો હતો. આનું કારણ એ છે કે બીજી પાર્ટી એટલે કે મહિલાનો પરિવાર વાલ્મિકી જ્ઞાતિ નો છે અને સાંસદ પણ તે જ બિરાદરી માંથી આવે છે જ્યારે તે લોકો એટલે કે આરોપીઓ બીજી જ્ઞાતિ ઠાકુર માંથી આવે છે.
"જો મારો પુત્ર દોષી છે તો તેને ગોળીએથી ઉડાડી દેજો": આરોપીના પિતા
તેઓએ કહ્યું છે કે જો મારો પુત્ર દોષી છે તો જાહેરમાં ગોળીથી ઉડાડી નાખજો. રાકેશે આરોપ લગાવ્યો છે કે નિર્દોષ લોકોને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેઓએ કહ્યું છે કે તેઓ ઠાકુર જ્ઞાતિના છે. રવિ મારા મોટા ભાઈનો પુત્ર છે અને સંદિપ મારા મોટા ભાઈનો પૌત્ર છે. બધા નિર્દોષ છે આ તેમનો પાડોશી છે. આસપાસમાં લડાઈ ઝગડો તો ચાલતો રહેતો હોય છે. તેમણે કહ્યું કે આ ઘટના 14 સપ્ટેમ્બરના રોજ બની હતી. અને પહેલા માત્ર સંદીપનું જ નામ સામેલ હતું.
તે પછી ગામમાં, રાજવીર દિલેર ની પુત્રી મંજુ દિલેર એ તેના ફેસબુક પર લખ્યું હતું કે તેણીએ 18 સપ્ટેમ્બરના રોજ પરિવાર સાથે વાત કરી હતી અને મને વધુ નામ જણાવ્યા હતા. આ પછી મંજુ દિલેર અને સાંસડે આ નામ આગળ મોકલી દીધા હતા.