ઉદયપુર કાંડ બાદ હવે ભાજપમાંથી બરખાસ્ત નેતા નવીન જિંદલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ઉદયપુર કાંડ બાદ હવે ભાજપ નેતાને જાનથી મારી નાખવાની ધમકી
ભાજપમાંથી બરખાસ્ત નેતાને ઈમેઈલ પર મળી ધમકીઓ
કનૈયાની જેમ ગળું કાપી નાખીશું
ઉદયપુરમાં દરજીનું કામ કરતા કન્હૈયા લાલની હત્યાથી દેશભરમાં સનસનાટી મચી ગઈ છે. આ દરમિયાન ભાજપના હાંકી કઢાયેલા નેતા નવીનકુમાર જિંદાલને પણ કન્હૈયાલાલની જેમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
आज सुबह क़रीब 6:43 बजे मुझको तीन ईमेल आयी है, जिसमें #उदयपुर में भाई कन्हैया लाल की गर्दन काटने का विडियो अटैच करते हुए मेरी और मेरे परिवार की भी ऐसी गर्दन काटने की धमकी दी गई है मैंने PCR को सूचना दे दी है।@DCPEastDelhi@CellDelhi@CPDelhi तुरंत संज्ञान ले। pic.twitter.com/rhzyLbbdNg
— Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) June 29, 2022
નવીન કુમાર જિંદલે ખુદ ટ્વીટ કરીને ધમકીની જાણકારી આપી
નવીન કુમાર જિંદાલે ખુદ ટ્વીટ કરીને આ ધમકી અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે સવારે તેમને મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. નવીન કુમાર જિંદાલે નૂપુર શર્માની પયગમ્બર મોહમ્મદ પર ટિપ્પણીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. આ કારણે તેઓ પણ વિવાદમાં સપડાયા હતા અને ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
ત્રણ ધમકીભર્યા ઈમેલ મળ્યાં, કહ્યું- કનૈયાની જેમ ગળું કાપી નાખીશું
નવીન કુમાર જિંદલે ટ્વિટ કરીને લખ્યું, "મને આજે સવારે લગભગ 7:30 વાગ્યે ત્રણ ઇમેલ મળ્યા. જેમાં કનૈયાલાલની હત્યાના વીડિયો પણ હતા. મને અને મારા પરિવારને પણ આ જ રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મેં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી છે. પૂર્વ દિલ્હીના ડીસીપી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને પોલીસ કમિશનરે આ મામલે તાત્કાલિક નોંધ લેવી જોઈએ. નવીન કુમાર જિંદાલને ધમકીથી ચિંતા વધી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે આ જઘન્ય હત્યાકાંડ ઉદયપુરમાં કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ છે.
નવીન કુમાર જિંદલે પોતાના ટ્વીટની સાથે ઈમેલના સ્ક્રીનશૉટ પણ શેર કર્યા છે. તેમાંથી એક લખે છે, "આતંકવાદી નવીન કુમાર, હવે તમારો વારો છે. અમે બહુ જલદી તારું ગળું કાપી નાખીશું. પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદથી નવીન કુમાર જિંદાલ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમના જીવને જોખમ છે. એટલું જ નહીં તેમણે પોતાના પરિવારને સુરક્ષાની દ્રષ્ટિએ દિલ્હીથી બહાર પણ મોકલી દીધો છે. જણાવી દઈએ કે કન્હૈયા લાલની હત્યા બાદથી ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં તણાવનો માહોલ છે. તમામ 33 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉદયપુરના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.