ગીર સોમનાથના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જગમલ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જગમલ વાળા AAPમાં જોડાયા
અરવિંદ કેજરીવાલ સાથે પણ કરી મુલાકાત
પહેલાં ભાજપમાં હતા જગમલ વાળા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટની મોસમ જામી છે. કોઈ કોંગ્રસમાંથી ભાજપમાં તો કૉઈ આપમાંથી કોંગ્રેસ કે ભાજપમાં જઈ રહ્યું છે. હવે ગુજરાતની આપ પાર્ટી પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પર નજર ફેરવી રહી છે. સામાજિક આગેવાનો અને પક્ષથી નારાજ નેતાઓને આપમાં ભેળવવા પુરજોશથી બળ લગાવી રહી છે
સોમનાથના સમાજસેવી પૂર્વ ભાજપ નેતા શ્રી જગમલ વાળને આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ! pic.twitter.com/UzdqfAWTui
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 26, 2022
ગીર સોમનાથમાં મોટો રાજકીય ચહેરો છે જગમલ વાળા
સોમનાથના રાજકીય-સામાજિક આગેવાન જગમલ વાળા AAPનું ઝાડુ પકડયું છે. આ અગાઉ જગમલ વાળા અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોર દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી તેમનું આપ પાર્ટીમાં વિધિવત રીતે જોડ્યા હતા.
ભ્રષ્ટાચારવિરોધી અને જનહિતના વિકાસની વિચારધારાને કારણે ગુજરાતના કર્તવ્યનિષ્ઠ સમાજસેવકો માટે ઈમાનદાર 'આમ આદમી પાર્ટી' બની રહી છે પ્રથમ પસંદગી.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 26, 2022
આપમાં જોડાઈ શું કહ્યું જગમલ વાળાએ?
1990થી જનતાદળમાં જોડાયેલો કાર્યકર્તા હતો. તે બાદ કોંગ્રેસમાં પણ સેવા આપી હતી પણ કોઈ મદદ ન મળી સાથે જ તેઓ જૂન દિવસોને વાગોળતા કહ્યું હતું કે અટલબિહારી વાજપેયી સાથે હું પક્ષમાં જોડાયો હતો અને તેમની વાતો સાંભળી હતી. હું વાજપેયીના કહેવાથી ભાજપમાં જોડાયો. મારે દેશની સેવા કરવી છે. હું 20- 21 વર્ષ સુધી ભાજપમાં જોડાયો બાદમાં મેં ભાજપ છોડી અને 2012માં અપક્ષ ઝંપાલવ્યું હતું. સાથે તેમણે કેજરી વાલના વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ સબકા સાથ સબકા વિકાસને સાચા અર્થમાં સાર્થક કરે છે.સૌરાષ્ટ્રની 40 બેઠકો પર આપનો ઉમેદવાર ઉતારવામાં આવશે અને જીતશે તેવો મત વ્યક્ત કરતાં કહ્યું હતુ કે સોમનાથ, જૂનાગઢ, પોરબંદરની જિલ્લાની બેઠકો જિતાડવાની જવાબદારી તેઓને સોંપવામાં આવી છે.
આપમાં જોડાતાની સાથે ભાજપ કોંગ્રેસ પર કર્યા વાર
વધુમાં તેઓએ ભાજપ સરકારને ભ્રષ્ટ કહી હતી અને પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ તમામ કામોમાં ભ્રષ્ટાચાર કરે છે. કોંગ્રેસનું સાવ કોરણે મુકાઇ ગઈ છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ એકબીજા સાથે મળેલા હોવાનો દાવો પણ કર્યો હતો. આપને સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમનાથ વિધાનસભાની બેઠકના કમિટમેન્ટ સાથે જગમલ વાળા AAPમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, જગમલ વાળા પહેલાં ભાજપમાં હતા. ઉપરાંત 2012માં તેમણે સોમનાથ બેઠક પરથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. સાથે જ 2017માં પણ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. જે બાદ કોંગ્રેસના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.