82 વર્ષના જગન્નાથ મિશ્રા 3 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 1975માં તેઓ પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા, બીજી વખત 1980 અને છેલ્લી વખત 1989-1990 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા. જગન્નાથ મિશ્રાને 90ના દાયકા દરમિયાન કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી હતી, તેમના નિધન પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ દુખ વ્યક્ત કર્યુ છે.
Bihar Chief Minister Nitish Kumar has expressed grief on the death of former CM #JagannathMishra. Three-day state mourning declared in Bihar. The former CM will be cremated with state honours https://t.co/09Yc5e3Qj2
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાએ એક પ્રધ્યાપક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને જે પછી તેઓ બિહાર યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પણ બન્યા હતા. જગન્નાથ મિશ્રાને રાજનીતિ અંગે ઘણુ જ્ઞાન હતુ, તેમના મોટા ભાઇ લલિત નારાયણ મિશ્રા રેલમંત્રી હતા. તમને જણાવી દઇએ કે, દેવઘર ઘાસ ઘોટાળા કેસમાં લાલૂ યાદવને કોર્ટે દોષિ જાહેર કર્યા હતા અને જગન્નાથ મિશ્રાને નિદોર્ષ જાહેર કર્યા હતા.
પૂર્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એક ઉચ્ચ સ્તરમાં શામેલ થયા પછી જગન્નાથ મિશ્રાને ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ છોડ્યા પછી તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા હતા અને જે પછી જનતા દળમાં શામેલ થયા.
30 સપ્ટેમ્બર 2013 ના રાંચીની એક વિશેષ કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમણે ઘાસ ઘોટાળામાં 44 અન્ય લોકોની સાથે સજા સંભળાવવી હતી, તે સમયે જગન્નાથ મિશ્રાને 4 વર્ષની જેલ અને 20000 રૂપિયાનો દંડ થયો હતો.