પેઢી દર પેઢી છનાલાલ જોશીનું નામ લોકોના મુખે રહેશે: CM ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જોધપુર વોર્ડમાં દિશમાન ફાર્મા હાઉસથી સ્પ્રિંગવેલી સર્કલ સુધીના નવનિર્મિત માર્ગનું 'છનાલાલ જોષી માર્ગ' નામાભિધાન કર્યું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે છનાલાલ જોશીના પરિવાર તેમજ સંબંધીઓ માટે આજે ખુશીનો દિવસ છે કે કારણ કે AMCની ટીમે રોડનું નામાભિધાન કર્યું તે હવે પેઢી દર પેઢી લોકો માટે જીવંત થઈ ગયું છે. રાજકિય અને સામાજિક દરેક ક્ષેત્રમાં તેઓ લોકસેવાના કાર્યો સાથે જોડાયેલા હતા. દુષ્કાળ પડ્યો ત્યારે છનાલાલ જોષીએ જે કામ કર્યું તે આજ પણ લોકો યાદ કરે છે.