આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું સોમવારે અવસાન થયું છે. આસામના આરોગ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ માહિતી આપી. 84 વર્ષીય ગોગોઈ થોડા સમયથી બીમાર હતા. સોમવારે સવારે ડોકટરોએ માહિતી આપી હતી કે ગોગોઈની હાલત અત્યંત નાજુક છે.
આસામના પૂર્વ CMનું નિધન
પૂર્વ CM તરુણ ગોગોઇનું નિધન
કોરોનાથી સંક્રમિત થયા હતા તરુણ ગોગોઇ
આસામના આરોગ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ તેમના સ્વાસ્થ્ય વિશે કહ્યું હતું કે, 'પૂર્વ મુખ્યમંત્રીની સ્થિતિ ખૂબ નાજુક અને ચિંતાજનક છે. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે, જોકે ડોકટરો પ્રયત્નો કરી રહ્યા છે. તેમની સ્થિતિ સુધારવા માટે હવે ભગવાનના આશીર્વાદ અને લોકોની પ્રાર્થનાઓ જરૂરી છે.
ગોગોઈના અંગો કામ કરવાનું બંધ થયું
સરમાએ કહ્યું કે ગોગોઈના અંગો કામ કરવાનું બંધ કરી દીધાં છે, મગજને કેટલાક સંકેતો મળી રહ્યા છે, આંખો કામ કરી રહી છે અને પેસમેકર ઇન્સ્ટોલ થયા પછી તેનું હૃદય કામ કરે છે અને તે સિવાય કોઈ અવયવો કામ કરી રહ્યા નથી.
Shri Tarun Gogoi Ji was a popular leader and a veteran administrator, who had years of political experience in Assam as well as the Centre. Anguished by his passing away. My thoughts are with his family and supporters in this hour of sadness. Om Shanti: PM Narendra Modi pic.twitter.com/ub4UWImyGE
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગોગોઈના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે- શ્રી તરુણ ગોગોઇ એક લોકપ્રિય નેતા અને વરિષ્ઠ સંચાલક હતા જેમણે અસમ તેમજ કેન્દ્રમાં વર્ષોનો રાજકીય અનુભવ હતો. તેમના નિધનથી દુખી છું. આ દુ:ખના સમયમાં તેના પરિવાર અને સમર્થકો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે- "તરુણ ગોગોઈ કોંગ્રેસના સાચા નેતા હતા. તેમણે આસામમાં બધા લોકોને અને સમુદાયોને એક સાથે લાવવા માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કર્યું. મારા માટે તેઓ એક મહાન અને કાર્યક્ષમ શિક્ષક હતા. હું તેમને પૂરા દિલથી પ્રેમ કરું છું અને તેમનું સન્માન કરું છું.હું તેમને યાદ કરીશ.ગૌરવ અને પરિવાર પ્રત્યે મારો પ્રેમ અને સંવેદના.