ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે. સિંહે મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે ભારતે પણ ચીની સૈનિકોને બંધક બનાવ્યા હતા અને બાદમાં બંને દેશોએ એકબીજાના સૈનિકોને પરત કર્યા છે. વી.કે.સિંહે દાવો કર્યો છે કે ચીનના બેગણા સૈનિકો માર્યા ગયા છે. ઝડપ દરમિયાન ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ દબોચી લીધા હતા.
ભારત-ચીન સીમા વિવાદ
વી.કે.સિંહનો મોટો ખુલાસો
''ભારતે પણ ચીની સૈનિકોને દબોચ્યા હતા''
વી. કે. સિંહે કહ્યું કે આ સંઘર્ષમાં ચીનના બમણા સૈનિક માર્યા ગયા છે. તેઓએ કહ્યું કે, આપણા 20 સૈનિક શહીદ થયા છે તો ચીનના તેનાથી વધુ સૈનિક માર્યા ગયા છે પરંતુ ચીન ક્યારેય નહીં બતાવે કે તેમના કેટલા સૈનિકો માર્યા ગયા છે. ચીન દરેક બાબત છુપાવવામાં આવે છે. આપણા સૈનિકોએ બદલો લઈને શહાદત આપી છે. ચીને 1962માં યુદ્ધમાં પણ સંખ્યા ન હતી બતાવી. વી.કે.સિંહે કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારત પાસે જે વિસ્તાર હતો તે આજે પણ આપણી પાસે જ છે. અને સ્થિતિમાં કોઇ બદલાવ નથી થયો.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદાખ સરહદ પર છેલ્લા થોડાક મહિનાથી ચાલી રહેલો તણાવ 15 જૂનની રાત્રે હિંસક સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક સંઘર્ષમાં એક કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. આ ઘટનામાં ચીનને પણ ભારે નુકસાન થયું અને તેના 43 સૈનિક હતાહત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદથી બંને દેશોની વચ્ચે સરહદે તણાવ ઘણો વધી ગયો છે.