આયકર વિભાગે આજે મોટી કાર્યવાહી કરતા પૂર્વ એઆઇએડીએમકે નેતા વીકે શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આયકર વિભાગના સૂત્રો અનુસાર, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સંપત્તિ 1500 કરોડ રૂપિયાની બંધ થઇ ચૂકેલી નોટો દ્વારા ખોટા નામો પર ખરીદવામાં આવી હતી.
ઇનકમ ટેક્સની મોટી કાર્યવાહી
વીકે શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ આ કાર્યવાહી થઇ
નોંધનીય છે કે વર્ષ 2017માં આયકર વિભાગે ઓપરેશન 'ક્લીન મની' હેઠળ વીકે શશિકલા અને તેમના સંબંધોના ઠેકાણાઓ પર રેડ પાડી હતી. આ દરમિયાન 1430 કરોડ રૂપિયાની કર ચોરીનો ખુલાસો થયો હતો.
તપાસમાં ખુલાસો થયો હતો કે શશિકલા અને તેમના સંબંધીઓ દ્વારા નોટબંધી બાદ ઘણી સંપત્તિ ખરીદી હતી. જેમા ચેન્નઇ, કોયમ્બતૂર, પુડુચેરી અને તમિલનાડુમાં કેટલાક સ્થાનો પર સંપત્તિ વિશે જાણકારી મળી હતી.
Income Tax Sources: Properties worth about Rs. 1,600 crores, belonging to VK Sasikala (former AIADMK leader) have been attached under provisions of the Benami Transactions (Prohibition) Act. Properties were procured using Rs. 1500 crore in demonetised notes under fictitious names pic.twitter.com/YuGZBN8Tjt
વીકે શશિકલાને ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા આવકથી વધારે અધિક સંપત્તિના મામલામાં દોષિ ઠેરવ્યા હતા. કોર્ટે શશિકલાને 4 વર્ષ જેલની સજા સંભળાવી હતી.