સાવરકુંડલાનાં પૂર્વ ધારાસભ્ય તેમજ સરકારનાં પૂર્વ કૃષિ મંત્રીની કારને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે સાવરકુંડલાનાં શેલાણા વંડા પાસે કાર અને જેસીબી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પૂર્વ કૃષિ મંત્રીનું મોત નિપજ્યું હતું.
પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું કાર અકસ્માતમાં નિધન
કાર તેમજ જેસીબી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
મૃતદેહને પીએમ અર્થે સાવરકુંડલા હોસ્પિટલ ખસેડાયો
સાવરકુંડલાનાં શેલાણાં વંડા રોડ પરથી પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયા પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક સામેથી આવી રહેલ જેસીબી સાથે તેઓની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેથી પૂર્વ ધારાસભ્યનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગેની જાણ રાજકીય કાર્યકરોને થતા રાજકીય કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કાર-જેસીબી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારને કચ્ચરઘાણ વળી ગયો
કાર અને જેસીબી વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વી.વી. વઘાસિયાને માથાનાં ભાગે ઈજાઓ પહોંચત તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે સર્જાયેલ અકસ્માતમાં કારને કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ત્યારે વી.વી. વઘાસિયાનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પૂર્વ કૃષિ મંત્રીનાં મૃત્યુંનાં સમાચાર વાયુ વેગે તેમના મિત્ર વર્તુળમાં પ્રસરતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.