નવી દિલ્હીઃ ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા હરિદ્વારાના હરકી પૌડીમાં પહોંચી હતી. હરકી પૌડીમાં ગંગા નદીમાં અટલજીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અટલજીએ દત્તક લીધેલી દીકરી નમિતા જમાઇ રંજન ભટ્ટાચાર્ય અને નાતિન નિહારિકાના હસ્તે બ્રહ્મકુંડ પહોંચી જ્યાં તેમના વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા નદીમાં અટલજીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
તો અટલજીની અસ્થિ કળશ યાત્રામાં અમિત શાહ રાજનાથ સિંહ સીએમ યોગી ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ અને હરિદ્વાર ભાજપના સાંસદ રમેશ પોખરિયાલ નિશંક સહિત અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ અટલજીની કળશ યાત્રામાં પણ મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટ્યા હતા.
અસ્થિ કળશ લઈને નીકળ્યા પરિવારજનો
મહત્વનું છે કે અટલજીની અસ્થિ કળશ યાત્રા નીકળી હતી. બે કિલોમીટરની આ યાત્રા હરિદ્વારના ભલ્લા ગ્રાઉન્ડથી શરૂ થઇને પૌડી સુધી ચાલી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને અટલજીના સમર્થકો ઉમટ્યા હતા.
Haridwar: Late #AtalBihariVajpayee's daughter Namita granddaughter Niharika Home Minister Rajnath Singh BJP President Amit Shah reach Har-ki-Pauri with the ashes of the former prime minister. #Uttarakhandpic.twitter.com/9xH0lNU8Af
ઉલ્લેખનીય છે કે વાજપેયીજીની અસ્થીઓનું દેશભરની કેટલીય નદીઓમાં વિસર્જન કરવામાં આવશે અને આની શરૂઆત ગંગા નદીમાં તેમની અસ્થિઓના વિસર્જનની સાથે ગઇ. આ અસ્થિ કળશ યાત્રામાં સામેલ થવા માટે 200 બસોમાં 15000 ભાજપ કાર્યકર્તા દેહરાદૂનથી હરિદ્વાર પહોંચ્યા હતા.