ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આઝાદના રાજ્યના સમર્થકોની શનિવારે દિલ્હીમાં બેઠક યોજાવાની છે.
દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામાથી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આઝાદના રાજ્યના સમર્થકોની શનિવારે દિલ્હીમાં બેઠક યોજાવાની છે. આગામી મહિને સપ્ટેમ્બરમાં જમ્મુ કાશ્મીર જાય તેવી સંભાવના છે. આઝાદ નવી પાર્ટીના ગઠનની ઘોષણા કરી શકે છે. જો આવી થયું તો, સૌથી વધારે પ્રભાવ કાશ્મીર આધારિત પાર્ટીઓ પર પડશે.
મુસ્લિમ વોટ બેંકવાળી નેકાં, પીડીપી, પોતાના પાર્ટીના વોટ બેંક સરકતી જોઈ શકશે. તેનો ફાયદો સમગ્ર રાજ્યમાં ભાજપને મળવાની આશા છે. કોંગ્રેસને સ્વાભાવિકપણે નુકસાન વેઠવાનો વારો આવશે. આઝાદ સમર્થક પૂર્વ ધારાસભ્ય જુગલ કિશોર શર્માએ જણાવ્યું છે કે, દિલ્હીમાં શનિવારે અનૌપચારિક બેઠક છે.
તેના માટે કેટલાય નેતા દિલ્હી પહોંચી ચુક્યા છે. અમુક શનિવારે સવારે આવ્યા હતા. ત્યાર બાદ આઝાદની સાથે બેઠક કરીને આગળની રણનીતિ તૈયાર કરશે. જમ્મુ કાશ્મીર જશે, ત્યારે અલગ અલગ જગ્યાએ બેઠક કરીને પાર્ટીને સ્વરૂપ આપવા પર ચર્ચા વિચારણ થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, આઝાદ સમર્થક પૂર્વ મંત્રી તથા ડોડાની ઈંદ્રવાલ સીટથી ધારાસભ્ય રહેલા જીએમ સરુરી સહિત 6 પૂર્વ ધારાસભ્ય દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો, જો આઝાદ નવી પાર્ટી બનાવશે તો મુસ્લિમ નેતાઓનું વિભાજન થશે. તેની અસર રાજ્યની વિધાનસભા ચૂંટણી પર પડશે, પણ લોકસભા ચૂંટણીમાં પણ અસર દેખાશે.
મુસ્લિમ વોટ બેંકમાં તિરાડ પડવાથી તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. કારણ કે જેટલા મુસ્લિમ વોટ વહેંચાશે, તેટલી ભાજપ મજબૂત થશે. રાજકીય વિશ્લેષક પ્રો. હરિ ઓમનું માનવું છે કે, આઝાદની નવી પાર્ટીને સીટો ભલે ઓછી મળે, પણ વોટ જરુરથી મળશે.
જમ્મુ સંભાગની 30થી 31 સીટો પર ભાજપનો પ્રભાવ હોય શકે છે. ત્યાર બાદ તેને મુસ્લિમ વોટ ફંટાવાનો ફાયદો મળી શકે છે. હિન્દુ બહુમતીવાળી સીટો પર જીતનું અંતર મોટુ હોઈ સકે છે . તેમનું માનવું છે કે, ડોડા, રામબન, કિશ્તવાડ, પુંછ, રાજોરી અને ઘાટીની અમુક સીટો પર વધારે અસર આઝાદની દેખાઈ શકે છે.
ડેમેઝ કંટ્રોલમાં લાગી ગઈ પાર્ટી
આઝાદના રાજીનામા બાદ પાર્ટી ડેમેઝ કંટ્રોલમાં લાગી ગઈ છે. પાર્ટીથી આઝાદે રાજીનામા આપ્યા બાદ જમ્મુ સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં થયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. સૂત્રોએ જણાવ્યુ છે કે, આઝાદના સમર્થકોની ગતિવિધિઓ પર બાજનજર રાખવામા આવી રહી છે. તેમની વચ્ચે જઈને માહોલ અને રણનીતિ પર નજર રાખી રહ્યા છે. જે આઝાદના સમર્થકો છે, તેમનો સંપર્ક બનાવી રાખવા માટે કહેવામા આવ્યું છે. ખાસ કરીને ચિનાબ વૈલી, રાજોરી, પુંછ અને કશ્મીરમાં.