પ્રધાનમંત્રી મોદીએ આજરોજ દેશી જનતાને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કોરોના વાયરસ અને લૉકડાઉનમાં છૂટછાટને લઇને વાતચીત કરી જો કે, તમામ લોકોને આશા હતી કે પ્રધાનમંત્રી મોદી સંબોધનમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે પણ કાઇક વાતચીત કરશે પરંતુ તેવું થયું નહીં. ત્યારે હવે આ મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું કે, આલોચના કરવાની તો વાત ઠીક પણ રાષ્ટ્રીય સંબોધનમાં તેનો ઉલ્લેખ શુદ્ધા કરતા પણ ડર્યા.
પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ કોંગ્રેસના આકરા પ્રહાર
ચીનની વાત પણ ડર્યા હોવાનો લગાવ્યો આક્ષેપ
કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલર પર એક તસવીર મુકી જેમાં ચીન વિશે લખવામાં આવ્યું છે. તસવીર પર લખ્યું હતું કે, ચીન ભારતની સીમામાં 423 મીટર ઘુસણખોરી કરી રહ્યું છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે 25 જૂન સુધી ભારતીય સીમાના 16 ટેન્ટ અને ટરોપોલિન છે. ચીનનું એક મોટું શેલ્ટર છે, સાથે જ આશરે 14 જેટલી ગાડીઓ પણ છે.
કોંગ્રેસે પૂછ્યું કે, શું પ્રધાનમંત્રી તેને નકારી શકે છે ? કોંગ્રેસે એવું પણ જણાવ્યું કે, ભારતને એવા નેતાની જરૂર નથી જે અસફળતાને સ્વીકારે અને તેમાં સુધારાની
જરૂરીયાત હોય.
એ વાતનો આનંદ છે કે, પ્રધાનમંત્રી મોદીએ સોનિયા ગાંધીની વિનંતી સ્વીકારી
આ સાથે જ, કોંગ્રેસે એમ પણ કહ્યું કે તે જાણીને ખુશી થાય છે કે વડા પ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિનંતી સાંભળી છે, જેમાં ગરીબોને મફત અનાજ આપવાની યોજના વધારવાની માંગ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીના સંબોધન પહેલા કર્યા આકરા પ્રહાર
PM મોદી પર પ્રહાર કરવામાં ન ચૂકનારા રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વીટર દ્વારા આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ PM પર પ્રહાર કરતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને કોરોનાના કારણે નુકસાન થયું છે. દેશમાં સૌથી વધુ ગરીબ અને શ્રમિકોને અસર થઈ છે. સરકારને અમે ત્રણથી ચાર વખત ન્યાય યોજના શરૂ કરવા માટે અપીલ કરી છે. પણ સરકાર ગરીબોને રૂપિયા આપવા માટે તૈયાર નથી.
સરકારે તેમની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું છે.. મોદી સરકારે 22 વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે.. સરકારે પાસે પૈસાની કોઈ જ અછત નથી.. કેન્દ્ર પાસે 3 લાખ કરોડ રૂપિયા પડ્યા છે.. આ સાથે રાહુલ ગાંધી ચીન મામલે પ્રહાર કરતા કહ્યું કે ચીન ભારતની જમીનમાં ઘુસી આવ્યું છે.. તો PM દેશને જણાવે કે ચીની આર્મીને પરત ક્યારે ખદેડશો..