અમરેલીમાં માનવભક્ષી દિપડાને ઠાર મારવામાં આવ્યો છે. બગસરા ગૌશાળામાં દીપડાને વન વિભાગે ઠાર કર્યો છે. જેમાં દીપડાએ અનેક લોકોને ફાડી ખાધા હતાં. શાર્પશૂટરોની ટીમે દીપડાને ઠાર કર્યો હતો. મહત્વનું છે કે, અમરેલી પોલીસ અને વન વિભાગનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. હજુ પણ જરૂર જણાય તો ઓપરેશન શરૂ રખાશે.
અમરેલીમાં માનવભક્ષી દિપડાને ઠાર કરાયો
શાર્પશૂટરોની ટીમે દિપડાને ઠાર કર્યો
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કરી પુષ્ટી
અમરેલીના બગસરામાં દીપડા પકડવાનું ઓપરેશન ચોથા દિવસે પણ ચાલ્યું હતું. શાર્પશૂટરો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યારે ડ્રોન કેમેરાથી હાલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગતરોજ કાગદડીમાંથી દીપડી પાંજરે પુરાઇ હતી. જો કે દીપડો બહાર ફરતા ખેડૂતોમાં ભયનો માહોલ હતો. ખેડૂતો ખેતરે જતા પણ ડરી રહ્યાં હતા. ત્યારે દીપડાને પકડવા વનવિભાગની ટીમ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી હતી.
અંતે બગસરા ગૌશાળામાં દીપડાને વન વિભાગની શાર્પશૂટરોની ટીમે ઠાર માર્યો છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકે આ અંગે પુષ્ટી કરી હતી. 200 લોકોની ટીમ દીપડાની શોધખોળ કરી રહી હતી. વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
મહત્વનું છે કે, અગાઉ બગસરાની ગૌશાળામાં મોડી રાત્રે દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ સિયારામ ગૌશાળામાં એક સાથે 3 ગાયનો શિકાર કર્યો હતો. આ દીપડાના આતંકથી ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.
દીપડાને પકડવા 100 ટીમ લાગી હતી કામે
અમરેલીમાં માનવભક્ષી દીપડોને પકડવા 100 ટીમ કામે લાગી હતી. 5 કિલોમીટરના એરિયામાં 30 પાંજરા મૂકવામાં આવ્યા હતા. મહત્વું છે કે દીપડો નિશાચર હોવાથી રાત્રે જ બહાર નીકળે છે. જેના કારણે દીપડાનું લોકેશન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. અગાઉ કાગદડીની સીમમાંથી દીપડી ઝડપાઇ હતી.
જિલ્લા મેજીસ્ટ્રેટે બગસરામાં જાહેર કરી હતી કલમ 144
અમરેલીના બગસરામાં જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા તાલુકામાં 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 144ની કલમ જાહેર કરવામાં આવી હતી. સૂર્યાસ્તના 3 કલાક પહેલા પાંચથી વધુ લોકોને ભેગા ન થવાનો આદેશ કરાયો હતો. જોકે વનવિભાગના અભીપ્રાય બાદ 144 અંગે નિર્ણય લેવાશે.