દિલ્હી સરકારના વનવિભાગે 60 વાંદરાઓને ક્વોરન્ટાઈન કરીને તુગલકાબાદના એનિમલ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા
દિલ્હી સરકારના વનવિભાગે 60 વાંદરાઓને ક્વોરન્ટાઈન
14 દિવસ સુધી એક સેન્ટરમાં રાખવામાં આવ્યા
60માંથી 30 વાંદરા 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો
દિલ્હી સરકારના વનવિભાગે 60 વાંદરાઓને ક્વોરન્ટાઈન
ગયા મહિને હૈદરાબાદના પ્રાણીસંગ્રહાલયમાં 8 સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ઘટના બાદ બીજા પ્રાણીઓને પણ સંક્રમણ ફેલાવવાનો ડર વધી ગયો હતો. આ જ કારણે દિલ્હીમાં 60 વાંદરાઓને ક્વોરન્ટાઈન કરી નાખ્યા હતા. આ વાંદરાઓને એ જગ્યાએથી પકડવામાં આવ્યા હતા જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયેલું હતું. આ 60 માંથી 30 વાંદરાઓનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો છે.
14 દિવસ સુધી એક સેન્ટરમાં રાખવામાં આવ્યા
જાણકારી અનુસાર, દિલ્હી સરકારે 60 વાંદરાઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા અને તે બધાને 14 દિવસ સુધી એક સેન્ટરમાં રાખવામાં આવ્યા. આ બધા વાંદરાઓને દક્ષિણ દિશાના એ ભાગમાંથી પકડવામાં આવ્યા હતા જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ હતા. વનવિભાગે 60 વાંદરાઓને ક્વોરન્ટાઈન કરીને તુગલકાબાદના એનિમલ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખ્યા.
60માંથી 30 વાંદરા 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો
60માંથી 30 વાંદરા 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો છે. એ 30 વાંદરાઓને છોડી મૂકવામાં આવ્યા છે. હવે માત્ર 30 વાંદરાઓ જ ક્વોરન્ટાઈન છે. સારી વાત એ છે કે આ બધા વાંદરામાંથી કોઈ પણ વાંદરામાં કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા ન્હોતા, એટલે ખાતરી કરવા માટે વાંદરાઓનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.