66 વર્ષીય વિદેશી નાગરિક 27 નવેમ્બરે દુબઈ ભાગી ગયો હતો
ભારતમાં કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત મળેલા બે લોકોમાંથી એક 66 વર્ષીય વિદેશી નાગરિક 27 નવેમ્બરે યુએઈ ચાલ્યો ગયો હતો.
વિદેશી દર્દી 20 નવેમ્બરે ભારત આવ્યો હતો
સત્તાવાર રેકોર્ડમાં જણાવ્યાનુસાર, આ વ્યક્તિ 20 નવેમ્બરે ભારત આવ્યો હતો અને સાત દિવસ બાદ એટલે કે 27 નવેમ્બરે દુબઈ રવાના થઈ ગયો હતો. આ દર્દી 20 નવેમ્બરે નેગેટિવ રિપોર્ટની સાથે દક્ષિણ આફ્રિકાથી આયો હતો અને બેંગ્લુરુના કેઆઈએલ સેન્ટરમાં તેનો ટેસ્ટ થયો હતો. તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બેંગ્લુરુ મનપાએ 66 વર્ષીય દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર પાડી છે.
કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ નોઁધાયા
ICMRના DG બલરામ ભાર્ગવે જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સ્થાપિત 37 લેબોરેટરીના સંઘ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિગના રિપોર્ટમાં બન્ને કેસ ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે આપણે ડરવાની જરુર નથી પરંતુ એલર્ટ રહેવું પડશે. કોવિડ અનુરુપ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે. લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ કર્ણાટકમાં મળ્યાં છે. 66 વર્ષના એક વ્યક્તિ અને 46 વર્ષના બીજા વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં છે. તેમણે કહ્યું કે બન્ને વ્યક્તિઓમાં ઓમિક્રોનના હળવા લક્ષણો છે.