વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના વિદેશ પ્રવાસે છે. ત્યારે આજે તેઓ જર્મની પહોંચ્યા એ દરમ્યાન એક વિદેશી મહિલાએ 'મોદીજી કેમ છો...?' પૂછતા PM મોદી ખુશ થઇ ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે
જર્મની પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
સ્વાગત દરમ્યાન વિદેશી મહિલાએ 'મોદીજી કેમ છો...?' પૂછતા મોદીજી ખુશ થયા
PM મોદી આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. તેઓ જર્મની અને UAEની મુલાકાત લેવાના છે. ત્યારે આજ રોજ તેઓ જર્મની પહોંચી ચૂક્યા છે. એ દરમ્યાન મ્યુનિખ એરપોર્ટ પર એખ બવેરિયન બેન્ડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ જર્મનીમાં હાજર ભારતીય સમુદાયના લોકોએ પણ PM મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારે ત્યાં સ્વાગત દરમ્યાન એક વિદેશી મહિલાએ ગુજરાતી અને હિન્દીમાં વાતચીત કરતા 'મોદીજી કેમ છો...?' કહીને પૂછી પગે પણ લાગ્યા હતાં. દરમ્યાન PM મોદી પણ વિદેશી મહિલાના સવાલથી ખુશ થયા હતાં.
તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની બે દિવસ વિદેશની મુલાકાતે છે. દરમ્યાન PM મોદી અહીંયા 12થી વધુ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરશે અને 15થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સમિટ 26થી 28 જૂન સુધી ચાલશે. સમિટમાં ભાગ લીધા બાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પણ મુલાકાત લેશે. એ સિવાય PM મોદી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. જર્મની-યુએઈ મુલાકાત પહેલાં PM મોદીએ કહ્યું હતું કે, 'તેઓ સમિટમાં ભાગ લેનારા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. એ સિવાય તેઓ જર્મનીના મ્યુનિખમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.'
PM Modi was welcomed by members of the Indian community on his arrival in Munich today.
આ સાથે વડાપ્રધાન મોદી 28 જૂને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ આપશે.
વડાપ્રધાનનરેન્દ્ર મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂને યોજાનારી G7 સમિટ માટે જર્મની પહોંચ્યા છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ શુક્રવારે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, યુક્રેન કટોકટી શરૂ થઈ ત્યારથી જ ભારતનું વલણ સ્પષ્ટ છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધવિરામ થવો જોઈએ અને સમસ્યાનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા થવો જોઈએ. ઉકેલ શોધવો જોઈએ. તેમણે કહ્યું કે ભારતે ખાદ્ય, ઉર્જા સુરક્ષા, ઉત્પાદન ફુગાવો, યુક્રેન સંકટને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને લગતા મુદ્દાઓ પર વિવિધ મંચોમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
#WATCH PM Narendra Modi gets warm welcome from the Indian diaspora in Munich, Germany
કવાત્રાએ કહ્યું કે, વૈશ્વિક મંચોમાં ભારતનું સ્ટેન્ડ ભારતના હિતો અને તેના સિદ્ધાંતો દ્વારા નક્કી થાય છે અને તેમાં કોઈ શંકા કે ખચકાટ ન હોવો જોઈએ. G7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનો સમૂહ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરે છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. વિદેશ સચિવે કહ્યું કે G7 સમિટ જર્મનીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે, જેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય ઘણા ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
ક્વાત્રાએ કહ્યું કે, જર્મનીની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી બે સત્રોને સંબોધિત કરી શકે છે જેમાં એક સત્ર પર્યાવરણ, ઉર્જા, આબોહવા અને બીજા સત્રમાં ખાદ્ય સુરક્ષા, લિંગ સમાનતા અને લોકશાહી જેવા વિષયો સામેલ હશે. આ સમિટની સાથે સાથે, વડા પ્રધાન સમિટમાં ભાગ લેનારા કેટલાક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
વડા પ્રધાન મોદી સંયુક્ત આરબ અમીરાતની તેમની મુલાકાત દરમ્યાન UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે ચૂંટવા બદલ અભિનંદન પણ પાઠવશે. મોદી 28 જૂનની રાત્રે UAEથી દેશ પરત ફરશે.
નોંધનીય છે કે, મોદી છેલ્લે 2 મેના રોજ જર્મનીની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે 6ઠ્ઠી ભારત-જર્મની આંતરસરકારી સલાહકાર બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીને G7 સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્કોની પરંપરાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.