RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું કે ગયા શુક્રવાર સુધી દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 598.2 અરબ ડોલરની રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચી ગયું છે.
વિદેશી મુદ્રા ભંડોળ 600 અરબ ડોલરને પાર
RBIના મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં
રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
દેશનું વિદેશી મુદ્રા ભંડોર નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મૌદ્રિક નીતિની ઘોષણા કરતી વખતે જણાવ્યું કે ગયા શુક્રવાર સુધી દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 598.2 અરબ ડોલરના રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયું છે અને તેને લઈને બીજા આંકજા સાંજ સુધી જાહેર કરવામાં આવશે. RBI ગવર્નરે એવું પણ જણાવ્યું કે આ અઠવાડિયે જે સંકેત મળ્યા છે તેના અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડોળ 600 અરબ ડોલરના આંકડાને પાર કરી ચુક્યું છે. અને તેને લઈને ઓફિશ્યલ આંકડા આવતા શુક્રવારે જાહેર કરાવમાં આવશે.
600 અરબ ડોલરના પાર પહોંચ્યું વિદેશી મુદ્રા ભંડોળ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશના વિદેશી મુદ્રા ભંડોળ લગભગ બે ઘણુ થઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ મે 2014માં કાર્યભાળ સંભાળ્યો હતો. મે 2014ના અંતમાં દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 312.38 અરબ ડોલર હતું જે વધીને 600 અરબ ડોલરના પાર પહોંચી ગયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 2 વર્ષ બાદ દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં લગભગ 179 અરબ ડોલરનો વધારો થયો છે. મે 2019ના અંતમાં દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 421.86 અરબ ડોલર હતું.
કઈ રીતે થયો ભંડોળમાં વધારો?
સોનાનું ભંડોળ અને વિદેશી મુદ્રા સંપત્તિ વધવાના કારણે મુદ્રા ભંડોળમાં વધારો થયો છે. દાસે શુક્રવારે જણાવ્યું કે હાલના અનુમાનોના આધાર પર અમારુ માનવું છે કે વિદેશી મુદ્રા ભંડોળ સંભવતઃ 600 અરબ ડોલરના આંકડાને પાર કરી ગયું છે. અર્થવ્યવસ્થામાં તરલતાને પ્રોત્સાહન માટે કેન્દ્રીય બેન્કે ઘણા પગલા લેવાની ઘોષણા કરી છે. તેમાં કોવિડ-19 મહામારીના પ્રભાવિત વિવિધ ક્ષેત્રો માટે ખાસ રોકડ સુવિધા શામેલ છે. રિઝર્વ બેન્કના સરકારી સિક્યોરીટીના ખરીદ કાર્યક્રમ 2.0ની ઘોષણા કરી. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રણ મહિનામાં રિઝર્વ બેન્ક 1.20 લાખ કરોડ રૂપિયાની સરકારી સિક્યોરીટીની ગૌણ બજારમાંથી ખરીદી કરશે. ત્યાં જ રિઝર્વ બેન્ક 17 જૂને 40 હજાર કરોડ રૂપિયાની સરકારી સિક્યોરીટી ખરીદશે.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે કેન્દ્રીય બેન્કની નાણાકીય સમિતિના પ્રમુખ દરો પર નિર્ણયોની જાહેરત કરી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીમાં કોઈ ફેરફાર નથી કર્યો. સતત વધતી મોંઘવારીના કારણે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી કોરોનાની અસર ખતમ નથી થતા ત્યાં સુધી અકોમડેટિવ વલણ જ યથાવત રાખવામાં આવશે.
રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) અને બેન્ક રેટ્સ પહેલાની જેમ જ 4.25 ટકા યથાવત રહેશે. રિઝર્વ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. RBIના મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક 2 જૂને શરૂ થઈ હતી. પોલિસી પર આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનું દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ સ્પષ્ટ દેખાઈ રહી છે.