15 ઓક્ટોબરથી વિદેશી નાગરીકો ચાર્ટર પ્લેનથી ભારત આવશે તો તેમને વીઝા આપવામાં આવશે. સાથેજ 15 નવેમ્બરથી સામાન્ય પ્લેનમાં લોકોને પણ વીઝા આપવામાં આવશે.
15 ઓક્ટોબરથી વિદેશી નાગરીકોને વિઝા મળશે
ચાર્ટર પ્લેનથી આવતા વિદેશી નાગરીકો મળશે વિઝા
સામાન્ય પ્લેનમા આવતા નાગરીકોને 15 નવેમ્બરથી વિઝા મળશે
કોરાનાની બીજી લહેર ધીમી પડ્યા બાદ દેશમાં ધીરે ધીરે હવે બધા પ્રતિબંધો હટી રહ્યા છછે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હવે વિદેશી પર્યટકો પર જે પ્રતિબંધ લગાવામાં આવ્યા હતા. તે હવે હટાવામાં આવશે. ચાર્ટર વિમાનો દ્વારા વિદેશ ભારતમાં હવે જે પણ વિદેશી પર્યટકો આવશે તેમને 15 ઓક્ટોબરથી વિઝા આપવાનું કામ શરૂ કરવામાં આવશે.
અન્ય વિમાનોથી આવતા યાત્રિકોને 15 નવેમ્બરથી વિઝા મળશે
એજ રીતે જે લોકો ચાર્ટર વિમાનોની જગ્યાએ અન્ય વિમાનોમાં આવે છે તે વા વિદેશી યાત્રિઓને 15 નવેમ્બરથી વિઝા આપવામાં આવશે. જોકે બંને મામલે વિદેશી યાત્રિઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
ધીરે ધીરે બધા પ્રતિબંધો હટશે
અગાઉ કોરોના મહામારીને કારણે વિદેશથી આવતા પર્યટકો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે હવે ધીરે ધરે પરિસ્થિતી સુધરી રહી છે. જેથી સરકાર દ્વારા આ પ્રતિબંધ હટાવામાં આવ્યો છે. તે સિવાય પણ સરકાર દ્વારા ધીરે ધીરે બધાજ પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોને પણ ઘણી રાહત થઈ રહી છે.
વિદેશોમાં પણ ભારતીય નાગરીકો ફરવા જઈ શકશે
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે વિદેશોમાં પણ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. જેમા ખાસ કરીને બીજી લહેર બાદથી ભારતની બધી ફ્લાઈટો વિદેશોમાં રદ કરવામાં આવી હતી. જોકે હવે ધીરે ધીરે પરિસ્થિતી સામાન્ય થતા વિદેશોમાં પણ ભારતીય લોકો ફરવા જઈ શકે છે.