અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનું ભારતીય વિદેશ મંત્રાલયે ખંડન કર્યું છે જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે મદદ માંગી હતી. ભારતે કહ્યું છે કે પાકિસ્તાનની સાથે માત્ર કાશ્મીર પર દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.
કાશ્મીર પર ભારતનું વલણ પહેલા જેવું જ છે, અને કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરી મંજૂર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીપ્પણી જોઇ કે જો ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર અનુરોધ કરે છે તો તેઓ મધ્યસ્થતા કરવા તૈયાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આવી કોઇ વાતચીત કરી નથી. ભારત પોતાના વલણ પર અડગ છે. વિદેશ મંત્રલાયના પ્રવક્તાએ પોતાના ટવિટમાં જણાવ્યું કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય મંત્રણા કરવામાં આવી શકે છે. પાકિસ્તાન સાથે ત્યારે જ વાતચીત શરૂ થશે જ્યારે સરહદ પારથી આતંકવાદ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કરી હતી.
We have seen @POTUS's remarks to the press that he is ready to mediate, if requested by India & Pakistan, on Kashmir issue. No such request has been made by PM @narendramodi to US President. It has been India's consistent position...1/2