અમેરિકાના પગ પાકિસ્તાનના કબ્જાવાળા POK સુધી પહોંચી ગયા છે. જેના પર ભારતે કડક ચેતવણી આપી દીધી છે.
પાકિસ્તાનમાં નવી સરકાર બની
પાકિસ્તાનની આડમાં અમેરિકા ખેલી રહ્યું છે ગંદા ખેલ
ભારતે આપી દીધી સ્પષ્ટ ચેતવણી
પાકિસ્તાનની નવી સરકારી બની ગઈ છે, પણ મતભેદો હજૂ પણ ચાલુ છે. શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી પદ પર બેસી ગયા છે અને તેમના આવતા જ અમેરિકા સાથે સંબંધોમાં સુધારો લાવવાની કોશિશ કરી રહ્યા છે.
POK મામલે અમેરિકાની ચંચૂપાત
પણ આ પ્રયત્ન એટલો આગળ વધી ગયો છે કે, અમેરિકાના પગ પાકિસ્તાનના કબ્જાવાળા POK સુધી પહોંચી ગયા છે. જેના પર ભારતે કડક ચેતવણી આપી દીધી છે. અમેરિકા આ કોઈ ચાલાકી કરી રહ્યુ છે અથવા તો કંઈક બીજૂ, હાલ તો તેના પર કંઈ કહી શકાય તેવું નથી. પણ અમેરિકા દ્વારા ઉઠાવામાં આવેલુ આ પગલું અત્યંત નિંદનિય છે.
US congresswomen @IlhanMN visited LOC (A dividing line) between Kashmiris,very meaningful visuals,about two flags from Chakothi bridge AJK pic.twitter.com/iid8JvV3Ve
પાકિસ્તાનના પ્રવાસે આવેલા અમેરિકાના વિવાદિત મુસ્લિમ સાંસદ ઈલ્હાન અબ્દુલ્લાહી ઉમરે કાશ્મીરને ળઈને ફરી એક વાર ઝેર ઓક્યું છે. ઈલ્હાને કહ્યું કે, અમેરિકામાં સત્તાના કેન્દ્રોમાં કાશ્મીર મામલે એટલી ચર્ચા નથી થઈ, જેટલી તેને જરૂર છે. તેમણે કહ્યું કે, આ સ્થિતિ બદલાશે અને અમેરિકી કોંગ્રેસમાં સુનાવણી દરમિયાન તેને ઉઠાવવામાં આવશે. આ અગાઉ ભારતે ઈલ્હાને પાક અધિકૃત કશ્મીર જવા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ઈલ્હાને ભારતમાં મુસ્લિમના કથિત માનવાધિકાર ઉલંલઘનના મુદ્દા પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
US Congresswoman Ilhan Omar held public and official interactions as she visited the Line of Control (LoC) Azad Jammu and Kashmir (AJK) in Pakistan today to assess the ground situation pic.twitter.com/ZjxygauuR4
બાઈડનની પાર્ટીના સાંસદ ઈલ્હાન ઉમરે કહ્યું કે, કશ્મીરના સવાલ પર અમે વિદેશી મામલાની સમિતિના સામે સુનાવણી કરી છે, જેથી માનવાધિકારના ઉલ્લંઘના સમાચારો અને મોદી સરકાર પાસેથી મુસ્લિમ વિરોધ નિવેદનબાજી અને તેનાથી થનારા માનવાધિકાર ઉલ્લંઘન જેવા સૌથી મોટા મુદ્દાની વાત કરવામાં આવે. તેમણે કહ્યું કે, હું એવુ નથી માનતી કે, કશ્મીર પર એટલી વધારે ચર્ચા થઈ નથી, જેટલી તેની જરૂર છે. તેમણે કહ્યું કે, આ મુલાકાત બાદ તે બદલાશે અને કશ્મીર પુર વધારે ચર્ચા થશે.
Ms. Ilhan Omar, Member of the U.S. House of Representatives, called on Prime Minister Muhammad Shehbaz Sharif today.
Appreciating her courage of convictions and her political struggle, the Prime Minister warmly welcomed her on her first-ever visit to Pakistan.
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર પીઓકેના કથિત રાષ્ટ્રપતિ સાથે બેઠક દરમિયાન ઈલ્હાન ઉમરે ભારતમાં મુસ્લિમોમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દાને અમેરિકી સંસદ અને બાઈડન પ્રશાસન સાથે ઉઠાવશે. ઈલ્હાને કશ્મીરમાં અનુચ્છેદ 370ને ખતમ કરવા પર કહ્યું કે, અમે ભારતના 5 ઓગસ્ટ 2019ના પગલાથી ખૂબ ચિંતિત છીએ. પીઓકેના કથિત રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો છે કે, ભારત જમ્મુ કાશ્મીરમાં જનસંખ્યાને બદલવા માગે છે.
ભારતે કરી આકરી ટીકા
અમેરિકી કોંગ્રેસ સભ્ય ઈલ્હાન ઉમરે પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરનો પ્રવાસ કર્યો હતો. જેના પર વિદેશ મંત્રાલયે આકરી ટિપ્પણી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ઈલ્હાન ઉમર જમ્મુ કાશ્મીરના એક ભાગનો પ્રવાસ કર્યો, જેના પર પાકિસ્તાને ગેરકાદરેસર કબ્જો કર્યો છે. જો આવા કોઈ રાજનેતા પોતાના દેશમાં પોતાની સંકીર્ણ માનસિકતાની રાજનીતિ કરવા માગે છે, તો એ તેમનો પર્સનલ મામલો છે. પણ આવુ કરીને ક્ષેત્રિય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે, તો તે અમારી જાણમાં આવે છે. આ નિંદનિય છે.
ભારત તરફથી આ વાત કહેવામાં આવી
તેની સાથે જ રાયસીના ડાયલોગના સંબંધમાં તેમણે કહ્યું કે, તેમાં 90 દેશોના 210થી વધારે વક્તાઓની સાથે સાથે લગભગ 100સત્ર હશે. આપણે બધા આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ, જેમ કે અફઘાનિસ્તાનમાં થયેલા છે. અમે ત્યાંના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ, તેની આગળ કહ્યું કે, અમે ભારતથી યુક્રેન અને તેના પાડોશી દેશ માટે માનવીય સામાન લઈને મુંબઈમાં ઉતરવાની મંજૂરી માટે જાપાનમાંથી એક અનુરોધ મળ્યો હતો. અમે વાણિજ્યિક વિમાનનો ઉપયોગ કરીને સપ્લાઈ લેવાની મંજૂરી આપી છે.
તેની સાથે જ ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સ્વતંત્રતામાં ભારતીય હાઈકમીશન દ્વારા કથિત હસ્તક્ષેપ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ સંસ્થા ઓસ્ટ્રેલાઈ સરકાર દ્વારા મેલબર્ન વિશ્વવિદ્યાલયની સાથે ભાગીદારીમાં સ્થાપિત કરવામા આવી હતી અને ઓસ્ટ્રેલિયાઈ સરકાર અને સંસ્થાનો દ્વારા નાણાકીય પોષિત કરવામાં આવી હતી.આ સંસ્થાનો નિર્ણય લેવામાં ભારત સરકારનો કોઈ અધિકાર નથી.