તાલિબાન સાથેની બેઠકને લઈને વિદેશ મંત્રાલયે ચુપ્પી તોડતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં જે સરકાર બનશે તેના વીશે કોઈ માહિતી નથી. પરંતુ ત્યા ભારત વિરોધી કોઈ આંતકી પ્રવૃ્ત્તિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
તાલિબાન સાથે વાતચીત મુદ્દે વિદેશ મંત્રાલયે ચુપ્પી તોડી
આંતકી ગતિવિધી પર ખાસ ધ્યાન રખાશે
દેશ પર જોખમ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારત અને તાલિબાનના સંબંધને લઈને જે સ્થિતી સર્જાઈ છે તે સ્થિતી સાફ કરી દીધી છે. અરિંદમ બાગચીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં જે પણ સરકાર બનશે તેના વિશે આપણાને કોઈ માહિતી નથી. સાથેજ તેમણે કિધું કે તાલિબાન સાથેની બેઠકમાં શું વાત થઈ તેનો પણ તેમની પાસે કોઈ જવાબ નથી. પરંતુ તેમણે એવું કહ્યું કે અમારો ઉદ્દેશ એજ છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ.
#WATCH | "We will be able to revisit this issue once operations at Kabul airport resume. The majority of Indians have left Afghanistan," MEA Spokesperson Arindam Bagchi on bringing back remaining Indians from Afghanistan pic.twitter.com/ZNMiBFnMUP
સમગ્ર મામલે અરિંદમ બાગચીએ કહ્યું કે અફઘાનમાં ભારત વિરુદ્ધ કોઈ આંતકી પ્રવૃત્તિ ન થાય તેને લઈને સરકાર ખાસ નજર રાખી રહી છે. આજ મુદ્દાને લઈને ભારત તાલિબાન સાથે બેઠક કરવાનું છે. જોકે તેમણે આ મુદ્દે એવું કહ્યું તેમની પાસે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી નથી જેથી અંદાજા સાતે વધું કશું ન કહી શકે.
કાબુલ એરપોર્ટ શરૂ થયા પછી લેવાશે મોટા નિર્ણય
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું કે કાબુલ એરપોર્ટ ફરી શરૂ થાય ત્યારબાદ તે મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જોકે તેમણે એવું પણ કહ્યું કે મોટા ભાગના ભારતીયોએ અફગાનિસ્તાન છોડી દીધું છે. પરંતુ જે લોકો હજું ત્યા ફસાયેલા છે તેમને કાબુલ એરપોર્ટ શરૂ થયા બાદ ફરી ત્યાથી ત્યાથી નિકળાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કાશ્મિર મુદ્દે તાલિબાનનું નિવેદન
અગાઉ તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા મુજાહિંદે ભારતને મહત્વપૂર્ણ દેશ માનીને સારા સંબંધો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથેજ કાશ્મિર મુદ્દે પણ તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને આ મામલે ચર્ચા કરવી જોઈએ.
મોદી સરકાર વેટ એન્ટ વોચની સ્થિતી પર
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તાલિબાન મામલે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવા નતી માગતી. સરકાર વેટ એન્ડ વોચની સ્થિતી પર બેઠી છે. જોકે અફઘાનિસ્તાન સાથેના સંબંધો પણ ભારત માટે મહત્વપૂર્ણ છે. જેથી ભારત અત્યારે એ રાહ જોઈને બેઠું છે કે તાલિબાન ત્યા કેવી સરકાર બનાવશે.