દિલ્હીમાં રહેલા ઇઝરાયેલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થતાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે પહોંચી છે. બ્લાસ્ટની આ ઘટનામાં 4-5 કારને નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં સ્થિત ઇઝરાયેલ એમ્બેસીની નજીકમાં એક નાનો આઈઈડી બ્લાસ્ટ થવાની સૂચના મળી છે, આ દરમિયાન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર પોલીસનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં 4થી 5 જેટલી કારને જ નુકસાન થયું છે, અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાની ઘટના સામે આવી નથી.
મહત્વનું છે કે આ મામલે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના ઇઝરાયેલી સમકક્ષ સાથે વાતચીત કરી હતી, અને કહ્યું હતું કે આ મામલે પૂરતી બધી જ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જો કે ઇઝરાયેલે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો.
Indian FM assured me that Indian authorities are committed to security of all Israeli diplomatic staff & will continue to act resolutely to locate all those involved in explosion. I thanked him & promised full cooperation & any help required from Israel: Israeli FM Gabi Ashkenazi https://t.co/baYyKwYgJI
નોંધનિય છે કે ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ઇન્ટેલિજન્સ બ્યૂરો અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી હતી, જો કે NIA ની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે, ત્યાં જ ઇઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે દૂતાવાસમાં બધા સુરક્ષિત છે અને અમે વિદેશ મંત્રાલય અને દિલ્હી પોલીસનો સહયોગ કરી રહ્યા છીએ.
Today we celebrate 29 years of India-Israel diplomatic relations. 🇮🇳🤝🇮🇱
As we wish our #GrowingPartnership a Happy Birthday, let's take a look back at the key moments from last year which made our relationship stronger than ever🤝. pic.twitter.com/1qDc8MzgJv
મળતી માહિતી મુજબ ફાયર ડીપાર્ટમેન્ટને સાંજે 5:45 વાગ્યે અબ્દુલ કલામ રોડ પર વિસ્ફોટની સૂચના મળી હતી. જો કે હવે આ વિસ્તારને મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયર ગાડી અને દિલ્હી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વિસ્ફોટને કારણે નજીકના ફોર-વ્હીલર્સના કાંચ તૂટી ગયા છે. પ્રારંભિક તપાસથી લાગે છે કે આ વિસ્ફોટ માત્ર હડકંપ મચાવવા માટે કરવામાં આવ્યો હોય શકે છે. જો કે રાહતની વાત છે કે કોઈ જાનહાનિ નથી થઈ. મહત્વનું છે કે ફેબ્રુઆરી, 2012 માં થયેલા બ્લાસ્ટમાં ઇઝરાઇલી રાજદૂતની કારને નુકસાન થયું હતું.
We received a call at around 5:45 pm regarding blast after which we reached the spot. No injuries have been reported in the incident: Fire Officer Prem Lal pic.twitter.com/wST685x0jC
મહત્વનું છે કે આજે ભારત અને ઇઝરાયેલ તેમના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે અને આજે જ ઇઝરાયેલની એમ્બેસીની બહાર ધડાકો થતાં આ ઘટના સૂચક મનાઈ રહી છે, નોંધનીય છે કે આજના દિવસે જ 1992માં ભારત અને ઇઝરાયેલના ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત થઈ હતી.
A low-intensity explosion happened near the Israel Embassy in Delhi, nature of explosion being ascertained. Some broken glasses at spot. No injuries reported; further investigation underway pic.twitter.com/xqIllrCZOQ
માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ કોણે કર્યો તે અંગેની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી, જો કે પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટ પાછળ કોણ જવાબદાર છે તે હજી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.
જ્યાં એક બાજુ રાજધાનીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને રાજધાનીના વિજય ચોકમાં ભારતીય સુરક્ષા દળો તેમની પરંપરાગત બિટિંગ ધ રીટ્રીટ સેરેમની ઉજવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂર ઊભો થઈ હોય તેવુ જણાઈ રહ્યું છે.
#WATCH | Delhi Police team near the Israel Embassy where a low-intensity explosion happened.
Nature of explosion being ascertained. Some broken glasses at the spot. No injuries reported; further investigation underway pic.twitter.com/RphSggzeOa
નોંધનીય છે કે છેલ્લા અમુક દિવસોથી રાજધાનીમાં માહોલ ઘણો તંગ છે, ખાસ તો 26મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલી હિંસક અથડામણને લીધે માહોલ બગડ્યો હતો, જેના પછી દિલ્હી પોલીસ દ્વારા લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવા મુદ્દે અને અન્ય હિંસક અથડામણોને લઈને કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જેમાં અમુક ખેડૂત નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ગાજીપુર બોર્ડર પર પોલીસ ખેડૂતોને હટાવવા માટે પહોંચી ગઈ હતી જો કે રાકેશ ટિકૈત દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવતા મામલો બીચક્યો હતો અને પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી.