આંધ્રપ્રદેશના વિજયવાડામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને ચર્ચા કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી ચીનની સાથે જે પણ વાતચીત થઇ છે, તેની જમીન પર અસર દેખાઇ રહી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, અત્યાર સુધી ચીન સાથે જે પણ વાતચીત થઇ છે, તેની જમીની સ્તરે અસર દેખાઇ નથી રહી. વિદેશ મંત્રીએ કહ્યું કે, સેનાના કમાન્ડર અત્યાર સુધીમાં 9 વખત વાતચીત કરી ચૂક્યા છે. અમને લાગે છે કે કંઇક પ્રગતિ થઇ છે પરંતુ, આને સમાધાન તરીકે ન જોઇ શકાય.
શું બોલ્યા વિદેશ મંત્રી?
વિજયવાડામાં તેમણે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં જે ગતિરોધ ચાલી રહ્યો છે, તેને સમાપ્ત કરવા માટે બન્ને દેશો વચ્ચે કેટલાક દોરની સૈના અને રાજકીય સ્તરની વાતચીત થઇ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ નથી નીકળી શક્યો. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પણ આવી વાતચીતો ચાલતી રહેશે. સૌનિકોને પાછળ હટવાનો મુદ્દા બહુજ જટિલ છે. આ સેનાઓ પર નિર્ભર કરે છે. તમારે તમારી ભૌગોલિક સ્થિતિ અને ઘટનાક્રમ વિશે જાણ હોવી જોઇએ.
નથી નિકળ્યુ સમાધાન
તમને જણાવી દઇએ કે ભારત અને ચીન વચ્ચે એપ્રિલ 2020થી જ તણાવની સ્થિતિ બનેલી છે. ચીને લદ્દાખ બોર્ડર નજીક કેટલીક વખત ઘુષણખોરી કરવાના પ્રયત્નો કર્યા છે, સૈનિકોની સંખ્યાને વધારી. જોકે ભારતે પણ આ દરમિયાન પોતાની તૈયારીઓને મજબૂત કરી. બન્ને દેશો વચ્ચે હજુ સુધી કેટલાક રાઉન્ડની ચર્ચા થઇ ચૂકી છે. બન્ને તરફથી પૂર્વ લદ્દાખમાં સેના અને હથિયારોની ભારે તૈનાતી કરવામાં આવી છે. ભારતે આર્ટિલરી ગન, ટેન્ક, હથિયાર બંધ વાહન બોર્ડર પર તૈનાત રાખ્યા છે. બન્ને દેશો વચ્ચે 9 રાઉન્ડની વાતચીત થઇ ચૂકી છે, પરંતુ લદ્દાખમાં ઘર્ષણનું સમાધાન નથી નિકળી શક્યું.