રવિવારે થયેલ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હિંસાના બીજા દિવસે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે જ્યારે હું જેએનયુમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમને ત્યાં કોઈ 'ટૂકડે-ટૂકડે ગેંગ' દેખાતી નહોતી.
JNU માં ફરીવાર બબાલ
પૂર્વ વિદ્યાર્થી અને વિદેશમંત્રી એસ.જયશંકરે ઘટનાને વખોડી
કહ્યું- 'ટૂકડે-ટૂકડે ગેંગ' જોવા મળી નહોંતી
એસ.જયશંકર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, "હું તમને નિશ્ચિતપણે કહી શકું છું કે જ્યારે હું જેએનયુમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમને ત્યાં કોઈ 'ટૂકડે-ટૂકડે ગેંગ' જોવા મળી નહોતી."
એસ. જયશંકરે ટ્વીટ કરીને કરી નિંદા
આ અગાઉ એસ. જયશંકરે JNU માં હિંસાની નિંદા કરી હતી. જયશંકરે ટ્વીટ કર્યું હતું કે જેએનયુમાં જે બન્યું તેની તસવીરો તેમણે જોઇ હતી. હિંસાની તેઓ સ્પષ્ટ નિંદા કરે છે. તે યુનિવર્સિટીની સંસ્કૃતિ અને પરંપરાની વિરુદ્ધ છે.
નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને ઘટનાને વખોડી
#WATCH "I can certainly tell you, when I studied in Jawaharlal Nehru University (JNU), we didn't see any 'tukde tukde' gang there," EAM Dr S Jaishankar at an event in Delhi. pic.twitter.com/9IgIZKQolx
આ સિવાય જેએનયુ હિંસા મામલે સીતારમણે ટ્વીટ કરીને કહયું હતું કે, JNU થી ખૂબ જ ભયજનક તસવીરો સામે આવી છે. તે જગ્યાને હું જેટલી ઓળખું છું જેને એક સમયે ખુલ્લી ચર્ચાઓ અને વિચારો માટે યાદ કરવામાં આવતી હતી. પરંતુ હિંસા ક્યારેય થઇ નથી. હું આજે થયેલી હિંસાની સ્પષ્ટ રીતે નિંદા કરું છું.
અમદાવાદના IIM ખાતે વિરોધ પ્રદર્શન
JNUમાં થયેલ હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદના IIM રોડ પર NSUI, ABVP અને IIMના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ વિરોધ માટે NSUIએ પરમિશન નહોતી માંગી. જોકે IIMના વિદ્યાર્થીઓએ પરમિશન માંગી હતી. પરમિશન વગર NSUI વિરોધ પ્રદર્શન કરવા આવતા સમગ્ર મામલાને રાજકીય રંગ લાગી રહ્યો છે. તેઓ IIM બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.