વિદેશમંત્રી વોશિંગ્ટન ડીસીમાં છે ત્યારે તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. એસ. જયશંકરે કહ્યું કે એક આર્થિક આકલન અનુસાર બ્રિટિશ અત્યારના હિસાબથી 45 ટ્રિલિયન ડૉલર ભારતથી લઇ ગયા હતા.
એસ. જયશંકર એટલાન્ટિક કાઉન્સિલની બેઠક માટે વોશિંગ્ટન ડીસીમાં છે
અત્યારે હાલમાં યૂએનમાં દક્ષેસ બેઠક દરમિયાન જયશંકરે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો
વિદેશ મંત્રી એસ. જયશંકર એટલાન્ટિક કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસીમાં છે. આ બેઠકમાં તેમણે કહ્યું કે, ભારતે પશ્ચિમ દેશોના કારણે 200 વર્ષ સુધી ત્રાસ વેઠ્યો છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં પશ્ચિમી દેશ 18મી સદીના મધ્યમાં ભારતમાં આવ્યા હતા. એક આર્થિક આકલન મુજબ બ્રિટિશ અત્યારના હિસાબે 45 ટ્રિલિયન ડૉલર ભારતથી લઇ ગયા.
EAM at Atlantic Council event in Washington DC: India had 2 centuries of humiliation by West,in its predatory form it came to India in mid 18th century. An economic study tried to estimate how much British took out of India,it ended up at a number of $45 trillion in today's value pic.twitter.com/iFi9J0TpNc
આ પહેલા વિદેશ મંત્રીએ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રથી અલગ જાપાન, બ્રાઝીલ અને સિંગાપુર સહિતના કેટલાક દેશોના સમકક્ષો સાથે મુલાકાત કરી હતી. ગુરૂવારે થયેલી બેઠક સિવાય જયશંકરે કેટલાક દેશોના બહુપક્ષીય સત્રોમાં પણ ભાગ લેતા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. જેમાં આઇબીએસએ (ભારત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રીકા), બ્રિક્સ (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા), દક્ષેસ અને ક્વાડ (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) સામેલ છે.
દક્ષેસ બેઠક દરમિયાન જયશંકરે કાશ્મીર મુદ્દે ભાષણ આપ્યું તો પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જયશંકરે એક દ્વિપક્ષીય વાર્તા માટે પોતાના બ્રાઝીલના સમકક્ષ અર્નેસ્ટો અરૂજો સાથે મુલાકાત કરી. તેની સાથે જ તેમણે પોતાના માલદીવ સમકક્ષ અબ્દુલ્લા શાહિદ સાથે પણ મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી.