વિદેશમંત્રી એસ જયશંકર હાલ ઈઝરાયલના પ્રવાસે છે ત્યારે તેમણે ઈઝરાયલના વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ સાથે ખાસ ચર્ચા કરી. જેમા બંને દેશોના સંબંધોને મજબૂત કરવાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
A warm and rich discussion on realizing the full potential of our strategic partnership. PM Bennett’s purposeful and focused approach to it was deeply encouraging. pic.twitter.com/5Hz0mT42z9
હાલ વિદેશમંત્રી એસ જયશંકર ઈઝરાયલની યાત્રા પર છે. જેથી તેમને મળવા માટે ઈઝરાયલના વિદેશમંત્રીએ આમં6ણ આપ્યું હતું. આ બેઠક બેત હાનાસીમાં થઈ હતી. જે ઈઝરાયલના રાષ્ટ્રપતિનું આવાસ સ્થાન છે.
વડાપ્રધાન મોદીનો આભાર માન્યો
ઈઝરાયલના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા એવું નિવેદન આપવામાં આપ્યું કે રાષ્ટ્રપતિ હર્જોગે ભાર સાથેના સંબંધો મજબૂત કરવા બદલ વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર માન્યો હતો. આ બેઠકમાં પણ ભારત અને ઈઝરાયલના સંબંધને વધારે મજબૂત કરવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતના લોકો તરફથી આપી શુભકામના
સમગ્ર મામલે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે રાષ્ટ્રપતિ હર્જોગ સાથેની મુલાકાત ઘણી સન્માનની વાત છે. સાથેજ તેમણે બેત હાનાસીની આગંતુક પુસ્તકમાં લખ્યું કે જ્યારે આપણે આપણા સંબંધોને 30મી વર્ષગાંઠે મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હું ભારતના લોકો તરફથી તેમજ સરકાર તરફતી શુભકામનાઓ લાવ્યો છું.
વિદેશમંત્રીએ કરી ટ્વીટ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે તેમણે ઈઝરાયલ નેસેટના સ્પીકર માઈકે લેવી સાથે મુલાકાત કરી સાથેજ કહ્યું કે તેમણે કહ્યં કે તેમણે બંમને દેસોના સંબંધોને લઈને ખાસ ચર્ચા કરી હતી. અગાઉ તેમણે બંને દેશોના મુક્ત વેપાર મામલે પણ ચર્ચા કરી હતી.