વિદેશી રોકાણકારોએ આ મહીને ભારતીય ઇક્વિટીઝથી લગભગ 7712 કરોડ રૂપિયા નીકાળ્યા છે. આર્થિક જાણકારોનું માનવું છે કે તેનું કારણ હાલમાં જ કેન્દ્રીય બજેટમાં લાગૂ કરવામાં આવેલ 'સુપર રિચ ટેક્સ' હોઇ શકે છે.
આપને જણાવીએ કે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સરકારે 5 કરોડથી વધારે વાર્ષિક આવકવાળા લોકો પર સરચાર્જનો દર વધારીને 42 ટકાથી વધારે કરી નાંખ્યો છે.
સરકારને આશા છે કે આ સરચાર્જથી સરકારને 12 હજાર કરોડ રૂપિયાથી વધારે મહેસૂલ મળી શકે છે. જોકે આ સુપર રિચ ટેક્સને લઇને આશંકા દર્શાવાઇ હતી કે તેથી રોકાણકારો ભારતની જગ્યાએ કોઇ અન્ય દેશ તરફ વળી શકે છે.
બહાર આવેલ આ રિપોર્ટ એ આશંકાઓ તરફ ઇશારો કરી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની એક રિપોર્ટ અનુસાર, ફોરેન ઇન્વેસ્ટર્સ (વિદેશી રોકાણકાર) એ 1 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે ઇક્વિટીઝથી લગભગ 77712 કરોડ રૂપિયા નીકાળ્યા છે. જોકે આ દરમિયાન રોકાણકારોએ ઇક્વિટીઝના ઋણ વિભાગમાં 9371 કરોડ રૂપિયા લગાવ્યા છે, જે કેપિટલ માર્કેટમાં રોકાણના હિસાબથી લગભગ 1659 કરોડ રૂપિયા થાય છે.