૨૦૧૯ની શરૂઆતથી જ ભારતીય અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું હતું, આ મંદીના પગલે વિદેશી રોકાણકારો ઝડપથી પોતાના રોકાણો ભારતમાંથી પાછા લઇ રહ્યા હતા. જો કે સરકારના કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના પગલે બજારમાં ફરીથી હકારાત્મકતા પ્રસરી છે અને ફરી એક વખત વિદેશો રોકાણકરો ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષાયા છે જેની અસર રૂપે વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિના જ ભારતમાં કુલ ૭,૭૧૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
ભારત સરકારના અર્થતંત્રની માંદગીને દુર કરવાના પગલા સ્વરૂપે લેવાયેલા કોર્પોરેટ ટેક્સના ઘટાડાના નિર્ણયના પગલે વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનાથી ભારતમાં પોતાનું રોકાણ વધાર્યું છે. બજારમાં ઉમેરાયેલા આ ૭,૭૧૪ કરોડ રૂપિયા દેશના અર્થતંત્રને વેગ આપશે.
છેલ્લા ૨ મહિનાના નિરાશાજનક દેખાવ બાદ આવ્યા સારા સમાચાર
૩ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બરની વચ્ચે FPIએ ૭૮૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને સામે ૧૩૫ કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આમ કુલ ૭,૭૧૪ કરોડ રૂપિયા અર્થતંત્રમાં ઉમેરાયા છે.
આ પહેલા વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ અને જુલાઈ મહિનામાં અનુક્રમે ૫૯૨૦ કરોડ અને ૨૯૮૫ કરોડ રૂપિયા ભારતીય અર્થતંત્રમાંથી ઉપાડી લીધા હતા.
છેલ્લા ૨ મહિનાઓથી વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા લઇ રહ્યા હતા. આ ભૂમિકા બદલાઈ છે અને સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતના કેપિટલ માર્કેટમાં ૭,૭૧૪ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં આશરે ૧૦% જેટલો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત સરકારે FPI એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે વિદેશી રોકાણકારોને તેમનું કોઈ પણ રોકાણ વેચ્યા બાદ મળતી રકમ ઉપર લાગતો ટેક્સ સરચાર્જ માફ કરી દીધો હતો.
Security and Exchange Board of India (સેબી)નો મહત્વનો નિર્ણય
આ ઉપરાંત Security and Exchange Board of India (સેબી)એ વિદેશી રોકાણકારોના એકાઉન્ટની KYC પ્રક્રિયા સરળ કરી છે અને તેમને તેમના રોકાણને માર્કેટની બહાર લે વેચ કરવાની છૂટ આપી છે.
જાણકારોએ આપ્યા આવા પ્રતિભાવો
ઇન્ડિયા બુલ એક્સચેન્જના એનાલીસ્ટ ફોરમ પારેખે જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સનો ઘટાડો એક ઐતિહાસિક નિર્ણય છે જે ભારતીય ઉદ્યોગોની કમાણી વધારશે અને લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતમાં વધુ પ્રમાણમાં રોકાણ કરશે.
જીયોજીત ફાઈનાન્શ્ય્લ સર્વિસના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી કે વિજયકુમારએ જણાવ્યું હતું કે સેબી દ્વારા KYCમાં કરાયેલી સરળતા અને રજીસ્ટ્રેશનમાં કરાયેલી સરળતાથી FPIના રોકાણકારો ભારતીય અર્થતંત્ર તરફ આકર્ષાયા છે.
જો કે તેમણે ઉમેર્યું હતું કે આ પગલા ઉપરાંત ભવિષ્યમાં ભારતની કોર્પોરેટ કંપનીઓ બજારમાં સારું પ્રદર્શન કરે તે પણ ખુબ જરૂરી છે. ભારતનું અર્થતંત્ર બને તેટલું જલ્દી આ મંદીમાંથી ઉભું થાય તે ખુબ જરૂરી છે.
આ ઉપરાંત USની ફેડરલ બેંક તેના ભંડોળ માટે કેવી પોલીસી નક્કી કરે છે અને વૈશ્વિક બજારોમાં કેટલી લીક્વીડીટી છે તે પરિબળ પણ અગત્યનું છે.
Growwના સહ સ્થાપક અને COO હર્ષ જૈને જણાવ્યું હતું કે US અને ચીનના ટ્રેડ વોરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પાડી રહી છે આથી રોકાણકારોમાં ફરી એક વખત હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે.