દેશમાં વિદેશી મુદ્રા ભંડાર(હૂંડિયામણ) 8 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં 75.8 કરોડ ડૉલર વધીને 586.082 અરબ ડૉલરની સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચી ગયો. રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા 1 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં વિદેશ મુદ્રા ભંડાર 4.483 અરબ ડૉલર વધીને 585.324 અરબ ડૉલરની ઉંચાઇએ પહોંચી ગયો હતો.
દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધ્યો
586 અરબ ડૉલરની ઉંચાઇ પર પહોંચ્યો
વિદેશી મુદ્રા ભંડારના ચાર મોટા ફાયદા
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર સમીક્ષા અવધિમાં વિદેશી હૂંડિયામણ(Foreign currency reserves)ઓના વધવાના કારણે મુદ્રા ભંડારમાં પણ વૃદ્ધિ થઇ. વિદેશી મુદ્રા સંપત્તિઓ, કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે. રિઝર્વ બેંકના આપ્તાહિક આંકડાઓ અનુસાર સમીક્ષા અવધિમાં FCA 15 કરોડ ડૉલર વધીને 541.791 અરબ ડૉલર થઇ ગયું. FCAને ડૉલરમાં દર્શાવવામાં આવે છે, પરંતુ તેમાં યૂરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી મુદ્રાઓ પણ શામેલ હોય છે.
આંકડાઓ અનુસાર 25 ડિસેમ્બરે સમાપ્ત સપ્તાહ દરમિયાન દેશના સ્વર્ણ ભંડાર મૂલ્ય 56.8 કરોડ ડૉલર વધીને 37.594 અરબ ડૉલર થઇ ગયા. દેશના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)માં મળ્યો વિશેષ આહરણ અધિકાર છેલ્લા અઠવાડિયામાં અપરિવર્તિત રહ્યા બાદ 50 લાખ ડૉલર વધીને 1.515 અરબ ડૉલર થઇ ગયા જ્યારે IMFની પાસે આરક્ષિત મુદ્રા ભંડાર 3.5 કરોડ ડૉલર વધીને 5.181 અરબ ડૉલર થઇ ગઇ.
શું છે વિદેશી મુદ્રા ભંડાર?
વિદેશી મુદ્રા ભંડાર દેશની કેન્દ્રીય બેંકોમાં રાખવામાં આવેલું નાણી અથવા અન્ય સંપત્તિઓ હોય છે, જેનો ઉપયોગ જરૂર પડવા પર દેવાદારોને ચૂકવવા માટે કરવામાં આવે છે. જરૂરી વિદેશી મુદ્રા ભંડાર એક સ્વસ્થ અર્થવ્યવસ્થા માટે ઘણી મહત્વપૂર્ણ હોય છે. આ આયાતને સમર્થ આપવા માટે આર્થિક સંકટની સ્થિતિમાં અર્થવ્યવસ્થાને બહુ જ મદદ ઉપલબ્ધ કરાવે છે. જેમાં IMFમાં વિદેશી મુદ્રા અસેસ્ટ, સુવર્ણ ભંડાર અને અન્ય રિઝર્વમાં સામેલ હોય છે, જેમાં વિદેશી મુદ્રા અસેટ્સ સોના બાદ સૌથી મોટો ભાગ રાખે છે.
વિદેશી મુદ્રા ભંડારના ચાર મોટા ફાયદા
વર્ષ 1991માં દેશમાં પૈસા એકઠા કરવા માટે સોનું ગિરવી રાખવું પડ્યું હતું. ત્યારબાદ માત્ર 40 કરોડ ડૉલર માટે ભારતને 47 ટન સોનું ઈંગ્લેન્ડ પાસે ગીરવી મૂકવું પડ્યું હતું. પરંતુ હાલના સ્તરે ભારત પાસે એક વર્ષથી વધુની આયાતને આવરી લેવા માટે પૂરતા નાણાં અનામત છે. એટલે કે, તે એક વર્ષથી વધુના આયાત ખર્ચને સરળતાથી પૂરા કરી શકે છે, જે તેનો સૌથી મોટો ફાયદો છે.
સારો વિદેશી મુદ્રા અનામત ધરાવતો દેશ વિદેશી વેપારનો સારો શેર આકર્ષે છે અને વેપાર ભાગીદારોનો વિશ્વાસ મેળવે છે. આનાથી વૈશ્વિક રોકાણકારો દેશમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત થઈ શકે છે.
સરકાર આવશ્યક લશ્કરી ચીજોની તાત્કાલિક ખરીદીનો નિર્ણય પણ લઇ શકે છે, કારણ કે ચુકવણી માટે પૂરતી વિદેશી મુદ્રા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, વિદેશી મુદ્રા બજારમાં અસ્થિરતા ઘટાડવા વિદેશી વિનિમય ભંડાર અસરકારક ભૂમિકા ભજવી શકે છે.