કોરોના સંકટ વચ્ચે ચીનમાંથી માઈગ્રેટ થઈ રહેલી વૈશ્વિક બજાર ધરાવતી કંપનીઓને ગુજરાત લાવવા માટે CM રૂપાણી કંપનીઓને અમુક છુટાછાટ સાથે મંજુરી આપી છે. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના નાના ઉદ્યોગકારોની ચિંતા કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટોણો માર્યો છે કે, ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો.
શક્તિસિંહ ગોહિલે કહ્યું, વિદેશી ઉદ્યોગો માટેનો પ્રેમ છોડી સ્થાનિક ઉદ્યોગો માટે વિચારણા કરો
વિદેશી કંપનીઓ ગુજરાત આવશે તો નાના ઉદ્યોગોને નુકશાન થશે
શ્રમિકોના કાયદામાં આપેલી છૂટ તેમના માટે ઘાતક સાબિત થશે
CM રૂપાણીએ વૈશ્વિક બજાર ધરાવતી મોટી કંપનીઓને માત્ર 21 દિવસમાં પરિમશન આપી, જમીન ફાળવવાની બાંહેદરી પણ આપી છે. આ ઉપરાંત શ્રમિકોના કાયદામાં પણ ઘણી બધી છુટછાટ અપાઈ છે. CM રૂપાણીએ વૈશ્વિક કંપનીઓને આમંત્રિત કરી ગુજરાતના નાના ઉદ્યોગકારોને ફાયદો ન થવાનો હોવાના મતે શક્તિસિંહ ગોહિલે CM રૂપાણી સામે નિશાન તાક્યું છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, વિદેશના નવા ઉદ્યોગો માટેની જાહેરાતથી આઘાત અને આશ્ચર્ય થયું. આ જાહેરાતથી ઘરનાને ઘંટી ચાટવાનો વારો આવશે અને પારકાને આટો. વિદેશથી આવતી કંપનીઓ શ્રમિકોનું પણ શોષણ કરશે. શ્રમિકોના ત્રણ કાયદાઓમાં છોડી તમામ કાયદાઓણાં છૂટ શ્રમિકો માટે ઘાતક બનશે.
આ ઉપરાંત વિદેશી ઉદ્યોગો માટેનો પ્રેમ છોડી સ્થાનિક ઉદ્યોગો માટે વિચારણા થાય તો સારૂ. આ સાથે કોંગ્રેસે ઉદ્યોગોને તાત્કાલિક સ્ટિમ્યુલસ પેકેજની જાહેરત કરવાની સરકાર પાસે માંગ કરી છે.