હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમી યથાવત રહેશે. આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે. ગરમીનો પારો 41 ડિગ્રીને પાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કામ સિવાય બપોરના સમયે ઘરથી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. શરીરને ઠંડક આપે તેવી પ્રવાહીનું સેવન કરવા સલાહ આપી છે.
અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમી યથાવત રહેશે. આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે. ગરમીનો પારો 41 ડિગ્રીને પાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કામ સિવાય બપોરના સમયે ઘરથી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. શરીરને ઠંડક આપે તેવી પ્રવાહીનું સેવન કરવા સલાહ આપી છે.
વિવિધ શહેરોમાં યલો એલર્ટ
રાજ્યભરમાં દિવસે દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં પારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરામાં હીટવેવની સ્થિતિ બની રહેશે. કાળઝાળ ગરમીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે જ પાલિકાએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્ષ 2009થી માર્ચ 2018 દરમિયાન માર્ચ મહિનાની 3થી 23મી માર્ચ દરમિયાન ગરમીનો પારો 38.3થી 43.0 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ, આ વર્ષે 24 માર્ચ સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી પાર ગયો નથી.
વરસાદની આગાહી
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક સુધી દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.