કમોસમી વરસાદના કારણે પતંગ રસિકો ચિંતામાં મુકાયા હતા. પણ હવે પતંગ રસિકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આજે જ કમોસમી વરસાદ થઈ શકે છે. જોકે આવતીકાલે વાતાવરણ સ્વચ્છ રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમીની રહી શકે છે.
વાતાવરણ પલટા વચ્ચે પતંગરસિકો માટે રાહતના સમાચાર
આવતીકાલથી વરસાદની કોઈ આગાહી નહીં
15 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાશે પવન
જેથી ઉત્તરાયણમાં પતંગ રસિકો પતંગ ઉડાવી શકશે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ અને બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.
પતંગ રસિકોને વરસાદથી પરેશાન થવું નહીં પડે
જોકે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને વરસાદથી પરેશાન નહીં થવું પડે. આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. જોકે ઠંડીમાં આવતીકાલથી વધારો થશે. અને પવનની ગતિ 15થી 20 કિમી રહી શકે છે. સાથે જ 15 જાન્યુઆરી બાદથી ઠંડીનું પ્રમાણ વધશે. અને 3થી 5 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે.
ઠંડીનો ચમકારો ઓછો જોવા મળશે
ત્યારે રહી વાત દિવસે દિવસે વધી રહેલી ઠંડીની તો ઉતરાયણના દિવસે ઠંડીને લઈને લોકોમાં રાહત મળશે. હવામાં ધુમ્મસનાં પ્રમાણમાં વધારો થતા ઠંડી ઓછી રહેશે. વાસી ઉતરાયણે હાડ થિજવતી ઠંડીમાં ઘટાડો થશે. તેમજ કેટલીક જગ્યાએ પતંગ રસિયાઓને નિરાશા હાથ લાગે કેમ કે ગુજરાતમાં કેટલાંક ભાગમાં હળવા છાટા પડવાની સંભાવના રહેલી છે.