ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં કાલથી 5 દિવસ સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવીટીથી સૌરાષ્ટ્ર દીવમાં વરસાદ પડી શકે છે. સાથે જ રાજ્યના અન્ય વિસ્તારમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. જેથી લોકોને ઉકળાટનો સામનો કરવો પડે છે ત્યારે હવે અગામી 5 દિવસ સુધીમાં સૌરાષ્ટમાં હળવા વરસાદની શરૂઆત થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
જેથી હવે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનુ આગમન વહેલું થશે. આ સાથે જ રાજ્યમાં હાલ ગરમી સામાન્ય રહેશે અને હીટવેવની શક્યતા હાલ નથી. જેથી લોકોને ગરમીથી આંશિક રાહત મળે તેમ હવામાન વિભાગે આગાહી કરી હતી.
3 જૂન બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું થશે આગમન
હવામાન વિભાગની આગાહી કરી છે કે 3 જૂન બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. રાજ્યમાં હિટ વેવ ઘટી જશે. અમદાવાદ-સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણથી ગરમીનું પ્રમાણ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા વેધર વોચ ગ્રુપની રચના કરાઇ
રાજ્ય સરકાર દ્વારા વેધર વોચ ગ્રુપની રચના કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન રાજ્યની સ્થિતિ પર નજર રાખવા માટે તેમજ હવામાન સમુદ્રની સ્થિતિ વાવાઝોડાની આગાહી પર નજર રાખવા માટે રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં ગ્રુપ મોનિટરિંગ કરશે.
ઉત્તરાખંડમાં આંધી...
આ તરફ ઉત્તરખંડના દહેરાદૂનમાં પણ વાતાવરણ પલટાયું હતું અને મુશળધાર વરસાદને કારણે શહેરના રોડ-રસ્તા પણ પાણી ફરી વળ્યા હતા. રહેણાક વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉત્તરાખંડમાં તબાહીમાં 3 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડના હવામાનમાં પલટો આવ્યા બાદ રાજધાની દિલ્લીમાં પણ આંધી જોવા મળી હતી. શુક્રવારે રાજધાનીમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અને રોડ પર પડ્યા હતા. ત્યારે તેજ આંધીને કારણે દિલ્લી NCRના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.