સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 26 નવેમ્બર 2020ના રોજ દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ આદેશ જાહેર કર્યો હતો. તેમાં દરેક વાહન ચાલકે BIS પ્રમાણિત ISI માર્કાવાળી હેલ્મેટ પહેરવા કહેવાયું હતું.
વાહન ચાલકો સાવધાનઃ હવે આ પ્રકારની હેલ્મેટ છે ફરજિયાત
વાહન ચાલકે BIS પ્રમાણિત ISI માર્કાવાળી હેલ્મેટ પહરેવી
નહીં તો થઈ શકે છે દંડ કે જેલની સજા પણ
દેશમાં વિના ISI માર્કાવાળી હેલ્મેટ વેચવા કે ખરીદવાને લઈને પાબંધી લગાવવામાં આવી છે. આ નિયમ 1 જૂનથી લાગૂ છે. જો તમે વિના બીઆઈએસ સર્ટિફિકેટ વાળી હેલ્મેટ પહેરીને નીકળો છો તો ટ્રાફિક પોલીસ તમારો મેમો ફાડી શકે છે. આવી હેલ્મેટ ખરીદવા કે વેચવા માટે પણ દંડ અને સજા બંને થઈ શકે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 26 નવેમ્બર 2020ના રોજ દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ આદેશ જાહેર કર્યો હતો. તેમાં દરેક વાહન ચાલકે BIS પ્રમાણિત ISI માર્કાવાળી હેલ્મેટ પહેરવા કહેવાયું હતું.
6 મહિના બાદ 1 જૂથી લાગૂ કરાયો છે નિયમ
6 મહિનાનો સમય પૂરો થયા બાદ 1 જૂનથી નિયમ લાગૂ કરાયો છે. પણ અનેક લોકો આ નિયમથી અજાણ છે. નવા નિયમો અનુસાર હેલ્મેટ પર ISI mark હોવો જરૂરી છે. જે સુરક્ષા માનકો પર યોગ્ય છે. માટે બાઈક સવાર યાત્રીઓ માટે આવશ્યક છે કે તેઓ જે હેલ્મેટ ખરીદે તેની પર આ સિક્કો છે કે નહીં તે ચેક કરે. જો ISI mark નહીં હોય તો તે હેલ્મેટને નકલી માનવામાં આવશે.
નકલી હેલ્મેટની ખરીદી કે વેચાણ પર થાય છે 1 વર્ષની જેલની સજા
દેશમાં ફક્ત બીઆઈએસ / આઈએસઆઈ મહોરની હેલ્મેટ વેચવાની મંજૂરી હશે. જો કોઈ પણ વ્યક્તિ વિના ISI markની હેલ્મેટ બનાવે છે તો તેની ખરીદી કે વેચાણમાં ભૂલ આવે છે તો તેને 1 વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછો 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ દંડની રકમ 5 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે.
રોડ એક્સીડન્ટમાં મોતનું કારણ નકલી હેલ્મેટ
બિન સરકારી સંગઠન ટ્રેક્સનું કહેવું છે કે દર વર્ષે રોડ એક્સીડન્ટમાં 37 ટકા દ્વિચક્રી વાહનો સામેલ હોય છે અને તેમાં 80 ટકા બાઈક સવારના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે અથવા તો નકલી હેલ્મેટના કારણે થતા હોય છે. એવામાં હેલ્મેટ દરેક દ્વિચક્રી વાહન ચલાવનારા પુરુષ કે મહિલા અને બાળકો માટે અનિવાર્ય બની છે. બાઈક ખરીદીની સાથે એવું હેલ્મેટ ખરીદવું જરૂરી છે જે તમને સુરક્ષા આપે. દેશમાં લોકો બાળકોને ક્યારેય હેલ્મેટ પહેરાવતા નથી. મહિલાઓ ઓછી સંખ્યામાં હેલ્મેટ પહેરતી જોવા મળે છે.
બિન ISI mark હેલ્મેટના વેચાણ બનશે અપરાધ
સડક સુરક્ષા સાથે જોડાયેલા કન્ઝ્યુમર ફોરમ પ્રેરિત ટ્ર્સ્ટીનું કહેવું છે કે ડબલ્યૂએચઓના અનુસાર ભારતમા સડક દુર્ઘટનામાં દર વર્ષે 3 લાખથી વધારે લોકોના મોત થાય છે. સચ્ચાઈ એ છે કે ભારતમાં દર કલાકે 423 લોકોના મોત સડક એક્સીડન્ટમાં થાય છે. વર્ષ 2019માં 4,37,396 રોડ એક્સીડન્ટમાં 1,54,732 લોકોના મોત થયા છે તો સાથે 4,39,262 લકોો ઘાયલ થયા છે. સરકાર આ પહેલની મદદથી નકલી હેલ્મેટના કારણે થતા મોતને ઘટાડવા ઈચ્છે છે. હવે બિન આઈએસઆઈ હેલ્મેટના વેચાણ અને સ્ટોક કરવું એ એક ગંભીર અપરાધની રીતે નોંધાશે.
શું હશે હેલ્મેટની કિંમત
ટૂ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર એસોસિયેશનના અધ્યક્ષ રાજીવ કપૂરે કહ્યું છે કે સડક કિનારે વેચાતા સસ્તા હેલ્મેટમાં દુર્ઘટનામાં કોઈ સુરક્ષા મળતી નથી. આ હવે વેચાણ માટે મળી શકશે નહીં. જો તમે 500 રૂપિયાથી ઓછાનું હેલ્મેટ ખરીદ્યું છે તો શંકા છે કે તેની ગુણવત્તા કેવી છે. એવામાં હેલ્મેટમાં નકલી આઈએસઆઈ માર્ક પણ લગાવી દેવામાં આવે છે. સડક દુર્ઘટનામાં ભારતને દર વર્ષે 3 જીડીપીના લગભગ 3 ટકાનું નુકસાન થાય છે. આઈએસઆઈ સર્ટિફાઈડ હેલ્મેટ નિર્માતા અને મોટા સંગઠનો આ ક્ષેત્રમાં રોકાણ કરે તે જરૂરી છે.