હું મારી જાતને ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન નથી માનતો- કોહલી
ગયા રવિવારે રમાયેલ ટી 20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનના ઐતિહાસિક મેચમાં ટીમ ઈન્ડિયા એ તેની સારી ઈનિંગ્સની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાન સામેની ઐતિહાસિક ઇનિંગ બાદ હવે ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું વિરાટ કોહલી ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. હાલ આ ચર્ચાએ જોર પકડયું છે પણ કોહલી પોતે તેની આ વાત સાથે બિલકુલ સહમત નથી અને તેની દૃષ્ટિએ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ બીજા કોઈ છે. કોહલીના લગભગ દોઢ વર્ષ પહેલાના ખરાબ સમયના દરેક વ્યક્તિ સાક્ષી છે પણ વિરાટે પાકિસ્તાન સામે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે આઉટ થયા વિના 82 રનની વિરાટ ઇનિંગ્સ રમી હતી અને એ ઇનિંગ રમીને તેને એક ચર્ચાને પણ જન્મ આપ્યો છે કે તે સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે કે નહીં?
જ્યારે વર્લ્ડ કપના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર-સ્પોર્ટ્સે વિરાટને આ વિશે પૂછ્યું હતું ત્યારે વિરાટ કોહલી જરા પણ ખચકાટ વિના સચિન તેંડુલકર અને સર વિવ રિચર્ડ્સને ક્રિકેટ ઇતિહાસના બે મહાન બેટ્સમેન ગણાવ્યા હતા. સચિન વન-ડે અને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, જ્યારે સચિન પહેલાના યુગમાં સર વિવ રિચર્ડ્સે જે છાપ છોડી હતી તે આજના યુગમાં પણ દરેક તેને સલામ કરે છે.
તમને જણાવી દઈએ કે વિરાટે મેચ પછીના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું મારી જાતને ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન નથી માનતો અને મારા મતે માત્ર બે બેટ્સમેન આ ટાઇટલને લાયક છે. એક સચિન તેંડુલકર, બીજા સર વિવ રિચર્ડ્સ. ભારત માટે સારા સમાચાર એ છે કે પાકિસ્તાનને હરાવ્યા બાદ કોહલીનું ફોર્મ અકબંધ છે અને તેણે નેધરલેન્ડ સામેની સતત બીજી મેચમાં અડધી સદી ફટકારીને બાકીની ટીમ માટે એલર્ટ પણ જારી કરી દીધું હતું.