જો બેંકો પૈસા પાછા મેળવવામાં મદદ ન કરે, તો ગ્રાહકો bankingombudsman.rbi.org.in પર ફરિયાદ કરી શકે છે.
UPIમાં ખોટુ ટ્રાન્ઝેક્શન થાય તો ચિંતા ન કરો
આ રીતે 2 દિવસમાં પૈસા આવી જશે પાછા
જાણો શું છે તેની પ્રોસેસ
દેશની મોદી સરકાર ઓનલાઈન ટ્રાન્સફર માટે યુપીઆઈ અને નેટ બેંકિંગને પણ પ્રોત્સાહન આપી રહી છે. જો UPI અને નેટ બેંકિંગ કરતી વખતે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જાય તો શું કરવું.
આરબીઆઈની નવી ગાઈડલાઈન અનુસાર જો ભૂલથી તે ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તો 48 કલાકની અંદર પૈસા પાછા મળી શકે છે. UPI અને નેટ બેંકિંગ કર્યા પછી, સ્માર્ટફોન પર મળેલા મેસેજને ક્યારેય ડિલીટ ન કરો. આ મેસેજમાં PPBL નંબર હોય છે. પૈસા રિફંડ મેળવવા માટે તમારે આ નંબરની જરૂર પડે છે.
શું છે RBIની નવી ગાઈડલાઈન
RBI દ્વારા જારી કરવામાં આવેલી નવી ગાઈડલાઈન અનુસાર 48 કલાકની અંદર તમારા પૈસા રિફંડ કરવાની જવાબદારી બેંકની છે. જો બેંકો પૈસા પાછા મેળવવામાં મદદ ન કરે તો ગ્રાહકો bankingombudsman.rbi.org.in પર ફરિયાદ કરી શકે છે.
જો ભૂલથી ખોટા ખાતામાં પૈસા જાય છે તો તેના માટે બેંકને પત્ર લખીને આપવો પડશે. આમાં તમારે એકાઉન્ટ નંબર, ખાતાધારકનું નામ, જે ખાતામાં પૈસા ગયા છે તે નંબર લખવો પડશે.
UPI કરતી વખતે ઉતાવળ ન કરો
UPI અને નેટ બેંકિંગ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. UPI કરતી વખતે ખાતરી કરો કે તમે જે વ્યક્તિને પૈસા મોકલી રહ્યા છો તેનું નામ અને એકાઉન્ટ નંબર સાચો છે. UPI કરતી વખતે QR કોડ દ્વારા દુકાનદારને તેમનું નામ પૂછીને બંનેને મેચ પણ કરી જુઓ.
જેનાથી ખાતરી થશે કે તમે જેને પૈસા મોકલી રહ્યાં છો તે એકાઉન્ટ નંબર સાચો છે. નેટ બેંકિંગ કરતી વખતે ઉતાવળ ન કરો. નેટ બેંકિંગ અને યુપીઆઈ કર્યા પછી તમને જે મેસેજ મળે છે તે સાચવીને રાખો.
આ રીતે તમે બેંકમાંથી રિફંડ લઈ શકો છો
1. ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી, સૌ પ્રથમ, તમારી બેંકને કૉલ કરો અને તમામ માહિતી સાથે PPBL નંબર દાખલ કરો.
2. આ પછી બેંકમાં જાઓ અને ત્યાં તમારી ફરિયાદ નોંધાવો.
3. બ્રાન્ચ મેનેજરને પત્ર લખો.
4. આ પત્રમાં તે એકાઉન્ટ નંબર લખો જેમાં પૈસા ગયા છે અને તમે જે એકાઉન્ટ નંબર પર પૈસા મોકલવા માંગો છો તેની માહિતી પણ આપો.
5. Transaction reference number, date of transaction, amount, અને IFSC code લખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.