જેમ કે બધા જાણે છે કે બોલીવુડમાં અભિષેક અને કરિશ્મા કપૂર સ્ટા કિડ્સ સપ ખૂબ જ યાદગાર રહી છે. પરંતુ શું તમે જાણો છો કે એવું તો શું કારણ હતું કે આ બંનેના સંબંધ એક જ ઝટકામાં તૂટી ગયા અને પાછા ક્યારેય જોડાઇ શક્યા નહીં? જો તમે ના જાણતા હોવ તો આજે અમે તમને એના માટે જણાવવા જઇ રહ્યા છીએ.
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે કરિશ્મા કપૂર બિઝનેસમેન સંજય કપૂર પહેલા અભિષેક બચ્ચનને ડેટ કરી રહી હતી અને એટલે સુધી કે બંને એ સગાઇ પણ કરી લીધી. પરંતુ એક એવી વ્યક્તિ જેના કારણે એમનો સંબંધ આગળ વધી શક્યો નહીં. જી હાં જે વ્યક્તિએ એમનો સંબંધ આગળ ના વધવા દીધો એ કોઇ બીજું નહીં પરંતુ કરિશ્માની મા બબિતા હતી.
સૂત્રોનું માનીએ તો જાણવા મળી રહ્યું છે બબિતાને અભિષેક પસંદ નહતો. પરંતુ ત્યારબાદ પણ પોતાના મા વિરુદ્ધ જઇને કરિશ્માએ અભિષેક સાથે સગાઇ કરી લીધી હતી. અભિષેકે જ્યારે આ વાત જયા બચ્ચનને જણાવી તો જયા બચ્ચને પણ અભિષેકને આ સગાઇ તોડી નાંખવા પ્રેરિત કર્યો.
એ દરમિયાન કરિશ્મા બોલીવુડની સફળ એક્ટ્રેસમાં ગણાતી હતી અને અભિષેકની એ દરમિયાન સતત ફિલ્મો ફ્લોપ રહી હતી.
એ કારણથી બબિતાને એ ડર હતો કે જો અભિષેક બોલીવુડમાં સફળ ના થયો તો એની દીકરીનું શું થશે? કહેવામાં આવે છે કે આ વાતના ડરથી બબિતાએ કરિશ્માને અભિષેક સાથે સગાઇ તોડવા માટે કહ્યું.
આ બંનેનો સંબંધ એટલો આગળ વધી ચુક્યો હતો કે કરીના સેટ પર પણ અભિષેકને જીજુ કહીને બોલાવતી હતી. યાદ હોય તો અભિષેકની પહેલી ફિલ્મમાં કરીના જ એની ઓપોઝિટ પેર કરવામાં આવી હતી. એટલે સ્પષ્ટ છે કે કરિશ્મા ની મા બબીતા જો બંનેના સંબંધમાં વિલન ના બનતી તો આજે કરિશ્મા અને અભિષેક એક સાથે હોત.
દેખવામાં આવે તો કરિશ્માએ પણ પોતાની લાઇફમાં ઘણા ઊતાર ચઢાવ જોયા હતા અને પોતાના કરિયર બનાવવામાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એને જેની સાથે લગ્ન કર્યા એની સાથે પણ સંબંધ ટકી શક્યો નહીં. પરંતુ હવે એવી માહિતી ચર્ચામાં છે કે કરિશ્મા એના બોયફ્રેન્ડ સાથે જલ્દીથી લગ્ન કરવાની છે.