ચૂંટણીના પરિણામો વચ્ચે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં તેને લોકોનો વિજય ગણાવ્યો છે અને એમ પણ કહ્યું છે કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને લોકોએ નકારી કાઢી છે.
પેટાચૂંટણીના પરિણામોને લઈને બોલ્યા CM શિવરાજ
જ્યોતિરાદિત્ય સિંધિયા દૂધમાં સાકરની જેમ ભળી ગયા : શિવરાજસિંહ ચૌહાણ
મધ્યપ્રદેશમાં ભાજપની સત્તાવાપસી માટે સિંધિયાએ નિભાવી હતી ભૂમિકા
મધ્યપ્રદેશની 28 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને સારી લીડ મળી રહી છે. ભાજપના ઉમેદવારો 20 જેટલી બેઠકો પર આગળ છે, જ્યારે માંધાતા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તેને લોકોની જીત ગણાવી છે અને કહ્યું છે કે દૂધમાં ખાંડ ઓગળી જતા સિંધિયા ભાજપમાં ભળી ગયા છે.
શું કહ્યું મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને ?
મધ્યપ્રદેશની પેટાચૂંટણીના પરિણામોને લઈને શિવરાજે કહ્યું હતું કે ભાજપની જીત અને અહીંની જનતાની જીત છે અને આ સાથે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બિહારના પરિણામો અને પોલ્સવિષે પણ વાતચીત કરી હતી.
શિવરાજે કહ્યું કે કોંગ્રેસે મુદ્દાઓથી ધ્યાન ભટકાવીને નકારાત્મક નિવેદનો કર્યા, પરંતુ લોકોએ વિકાસનું રાજકારણ પસંદ કર્યું. સિંધિયા જી આ રાજકારણ છોડીને ભાજપમાં આવ્યા હતા અને હવે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં એવું વિસર્જન થયું જેમ કે દૂધમાં ખાંડ ઓગળી જાય છે, ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને સંપૂર્ણ સ્વીકારી લીધા છે.
તેમણે કહ્યું કે અમને શરૂઆતથી બિહારમાં NDA ની જીત અંગે વિશ્વાસ છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે લોકો હવે વિકાસનું રાજકારણ પસંદ કરી રહ્યા છે.