એક દિવસમાં બે વાર રાજ્યોને કોરોનાથી ચેતવતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સનું પાલન કરવાની તાકીદ કરી છે.
દેશના પાંચ રાજ્યોમાં કોરોના કેસમાં 81 ટકાનો વધારો
કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા નિર્દેશ
કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલનનો નિર્દેશ
દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાનું લાગી રહ્યું છે અને હવે કેન્દ્ર સરકાર પણ ટેન્શનમાં મૂકાઈ ગઈ છે. ગુરુવારે એક દિવસમાં બીજી વાર કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપીને કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીના સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને લેટર પાઠવીને કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરવાની તાકીદ કરી છે.
Union Health Secy Rajesh Bhushan writes to all States/UTs: In past 2 weeks, an upsurge in #COVID19 cases has been noticed. States/UTs must not lower their guard & continue working towards building on progress made thus far to bring pandemic situation under control.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના વધતા ગ્રાફ પર ચિંતા વ્યક્ત કરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના વધતા ગ્રાફ પર ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને દિલ્હીમાં કોરોનાના 81 ટકાથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે સૂચના આપી છે કે કોરોનાને લઈને પહેલા જે પણ પગલા લેવામાં આવ્યા હતા તે ફરીથી કડકાઈથી લેવામાં આવે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ તમામ રાજ્યોને પાઠવ્યો પત્ર
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કહ્યું છે કે છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. આવી સ્થિતિમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોનાની કડકતામાં કોઈપણ પ્રકારનો ઘટાડો લાવવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અને વહેલી તકે તેના પર નિયંત્રણ મેળવવા માટે, સર્વેલન્સને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
Union Health Ministry is closely monitoring the COVID19 situation in Maharashtra, Kerala, Delhi, and Karnataka and has asked them to follow the five-fold strategy, i.e, Test-Track-Treat-Vaccination and adherence to COVID Appropriate Behavior: Official Sources
પાંચ રાજ્યોને અપાઈ વિશેષ સૂચના
આરોગ્ય મંત્રાલયે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક અને તામિલનાડુમાં શક્ય તેટલા કડક પગલાં લેવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં જે ઝડપે કોરોનાના કેસ વધ્યા છે તેને જોતા કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું ફરજિયાત બની ગયું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે છેલ્લા ચાર મહિના દરમિયાન દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોમાં તીવ્ર ઘટાડો થયો હતો, જો કે તેમાં ફરી એકવાર વધારો થયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.63 ટકાથી વધીને હવે 1.12 ટકા થઈ ગયો છે.
પાંચ રાજ્યો પર સરકારની બાજનજર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં કોવિડ 19 ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેમને પાંચ-સ્તરીય વ્યૂહરચના, એટલે કે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તનને અનુસરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો રાજ્યોને આદેશ
રાજ્યોને જે પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ અનુરુપ વ્યવહારનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 4 જૂને ઉપરોક્ત પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરના નિર્દેશમાં, કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ ઝડપથી વધી રહેલા કોરોના કેસો પર નજર રાખે અને ચેપને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લે.