શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા લોકોને ચેતવણીરૂપ ચુકાદો
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા અને 11 આરોપીને આજીવન કેદની સજાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ન્યાયતંત્રએ આ ચુકાદાથી એક કડક દાખલો બેસાડ્યો છે. આ ચુકાદાને આવકારું છું.
2008 બ્લાસ્ટ કેસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન આપતાં જણાવ્યું કે,આજે કોર્ટે ખૂબ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ ચુકાદો દેશ અને રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા લોકોને ચેતવણીરૂપ છે. તેમણે ઉમેર્યું કે, બ્લાસ્ટના સમયે CM પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે પોલીસને તમામ મદદ કરવામાં આવી હતી. આ સાથે સરકારે જરૂર પડ્યે ચાર્ટેડ ફ્લાઈટની વ્યવસ્થા કરી આપી હતી. આ સાથે તેઓ જણાવ્યું આ કેસમાં સાક્ષીઓએ પણ હિંમત સાથે નિવેદનો આપ્યા છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ન્યાય મળે જ છે - રાજેન્દ્ર ત્રિવેદી
બ્લાસ્ટ કેસના ચુકાદા મામલે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, કાયદો કાયદાનું કામ કરે છે.વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ન્યાય મળે જ છે. આ એક ખૂબ ગંભીર પ્રકારનો બનાવ હતો.
2008 સિરિયલ બ્લાસ્ટના ચુકાદા પર કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે પણ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોર્ટના આ ઐતિહાસીક ચુકાદાને આવકારીએ છે. વર્ષ 2008માં અમદાવાદના 20 જેટલા સ્થળો પર બોંબ બ્લાસ્ટ થયા હતાં. જે ઘટના ખૂબ ભયાવહ હતી અમે સિવિલમાં જઈને ઇજાગ્રસ્તોની મદદ કરી હતી. સિવિલ ટ્રોમા સેન્ટરનો માહોલ ખૂબજ ભયજનક હતો