ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર વિશેષ લોક અદાલત યોજાઈ, રાજ્યના નિવૃત પ્રોફેસરોના પેન્શન કેસોનો નિકાલ કરવામાં આવ્યો
ગુજરાત હાઈકોર્ટમાં પહેલીવાર લોકઅદાલત યોજાઈ
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ યોજાઈ અદાલત
રાજ્યના નિવૃત્ત પ્રોફેસરોના પેન્શન કેસનો થયો નિકાલ
ગુજરાત હાઇકોર્ટમાં આજે ઐતિહાસિક લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જોવા જઈએ તો ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર વિશેષ લોક અદાલત યોજાઈ હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ યોજાયેલી લોક અદાલતમાં રાજ્યના નિવૃત પ્રોફેસરોના પેન્શન કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
635 પેન્શનર્સનો કેસોનો કરાયો નિકાલ
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આજે પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટ ખાતે વિશેષ લોક અદાલત યોજાઈ હતી, જેમાં રાજ્યના નિવૃત પ્રોફેસરોના પેન્શન કેસોમાં 635 પેન્શનર્સના કેસોનો નિકાલ કરાયો છે. લોકઅદાલતમાં આજે રાજ્ય સરકારનું સકારાત્મક અભિગમ સામે આવ્યું હતું. જેને લઈ હવે સેંકડો સિનિયર સિટીજને પેંન્શન મળશે.
લોકઅદાલતમાં રાજ્ય સરકારનું સકારાત્મક અભિગમ
ગુજરાત હાઇકોર્ટમાં આજે યોજાયેલ લોકઅદાલતમાં રાજ્ય સરકારનું સકારાત્મક અભિગમ જોવા મળ્યું હતું. આજે 635 પેન્શનર્સના કેસોનો નિકાલ કાવ્યમાં આવતા હવે રાજ્ય સરકારને દર મહિને રૂ.6થી 7 કરોડ પેન્શનનો બોજ આવશે. આ સાથે પેન્શનના એરિયર્સના ₹ 500 કરોડની પણ સરકાર ચુકવણી કરશે.