રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણ(NFHS)ના જણાવ્યાનુંસાર દેશમાં પુરુષોની સરખામણીએ હવે મહિલાઓની સંખ્યા વધારે થઈ ગઈ છે.
ભારતમાં હવે 1000 પુરુષો પર 1020 મહિલાઓ છે
2005-06 માં ત્રીજા NHFS સર્વેમાં આ 1000-1000 ની સાથે બરાબર થઈ
પોતાનું બેંક ખાતુ ખોલનારી મહિલાઓની સંખ્યા 25 ટકા વધી
ભારતમાં હવે 1000 પુરુષો પર 1020 મહિલાઓ છે
આંકડામાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હવે 1000 પુરુષો પર 1020 મહિલાઓ છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ આંકડા જારી કર્યા છે. જણાવી દઈએ કે NFHS મોટા પાયા પર થનારું સર્વેક્ષણ છે. જેમાં દરેક પરિવારના સેમ્પલ લેવામાં આવે છે.
2005-06 માં ત્રીજા NHFS સર્વેમાં આ 1000-1000 ની સાથે બરાબર થઈ
આ આંકડાથી એ સ્પષ્ટ છે કે ભારતમાં જ્યારે મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે આની પહેલા સ્થિતિ કંઈક અલહ હતી. 1990માં 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા માત્ર 927 હતા. વર્ષ 2005-06 માં ત્રીજા NHFS સર્વેમાં આ 1000-1000 ની સાથે બરાબર થઈ છે આ બા 2015-16માં ચોથા સર્વેમાં આ આંકડો ફરી ઘટીને ગયો. 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા 991 હતી. પરંતુ પહેલી વાર મહિલાઓની સંખ્યા પુરુથો કરતા વધારે છે.
પોતાનું બેંક ખાતુ ખોલનારી મહિલાઓની સંખ્યા 25 ટકા વધી
78.6 ટકા મહિલાઓ પોતાનું બેંક ખાતુ ઓપરેટ કરે છે. 2015-16માં આ આંકડો 53 ટકા હતો. ત્યારે 43.3 મહિલાઓના નામ પર કોઈ ને હોઈ પ્રોપર્ટી છે. જ્યારે 2015-16માં આ આંકડો 38. 4 ટકા હતો માસિક ધર્મ દરમિયાન સેનેટેશન ઉપાયો વાળી મહિલાઓની સંખ્યા 57.6 ટકાથી વધીને 77.3 ટકા થઈ છે. જો કે બાળકો અને મહિલાઓમાં એનિમિયાની મોટી ચિંતા બની છે. 67.1 ટકા બાળકો અને 15થી 49 વર્ષની 57 મહિલાઓ એનિમિયાથી પીડિત છે.
મહિલાઓના પ્રજનન દરમાં પણ ઘટાડો આવ્યો
દેશમાં ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે કુલ પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -5ના બીજા ચરણ અનુસાર એક મહિલા દ્વારા પોતાના જીવનકાળ દરમિયાન બાળકોને જન્મ આપવાની સરેરાશ સંખ્યા 2.2થી ઘટીને 2 થઈ ગઈ છે. જ્યારે ગર્ભ નિરોધકનો ઉપયોગ દર 54 ટકા વધીને 67 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ આંકડા જારી કર્યા. આનાથી એ સંકેત મળે છે કે દેશની જનસંખ્યા સ્થિર થઈ રહી છે. 2.1 ટોટલ ફર્ટિલીટી રેટને પ્રતિસ્થાપન દર તરીકે જોવામાં આવે છે. જોકે તે વસ્તી વધારા માટે એક મહત્વનું એલિમેન્ટ છે. 2015થી 2016માં થયેલા સર્વેમાં ચૌથા સંસ્કરણમાં દેશમાં કુલ પ્રજનન દર 2.2 હતો. ત્યારે 5માં ચરણમાં આ સર્વે 2019થી 2021ની વચ્ચે થયો છે. આ જનસંખ્યા નિયંત્રણ માટે કરેલા પ્રયાસોની સફળતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે NFHS-5 માં વર્ષ 2019-20 દરમિયાન થયેલા સર્વેક્ષણના ડેટાને ભેગા કરવામાં આવ્યા. આ દરમિયાન લગભગ 6.1 લાખ ઘરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું છે.