ફાર્માસ્યુટિકલ કંપની બજાજ હેલ્થકેર લિમિટેડ ભારતની પ્રથમ ખાનગી કંપની બની છે જે ને રેગ્યુલેટેડ અફીણ પ્રોસેસિંગ સેક્ટર માટે સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે દેશમાં સૌ પ્રથમ વખત અફીણ પ્રોસેસિંગની પરવાનગી આપી
ગુજરાતના સાવલીમાં તેના API મેન્યુફેક્ચરિંગ યુનિટમાં થશે પ્રોસેસ
અફીણનો જથ્થો સરકાર પૂરો પાડે છે તેથી કોઈ ઈનપુટ કોસ્ટ લાગતી નથી
કેન્દ્ર સરકારે દેશમાં સૌ પ્રથમ વખત અફીણ પ્રોસેસિંગની પરવાનગી આપી
કેન્દ્ર સરકારે બજાજ હેલ્થકેરને અફીણને પ્રોસેસ કરીને તેમાંથી આલ્કલોઈડનો અર્ક કાઢવા માટે મંજૂરી કરી છે. ઉલ્લેખનીય છે કે, આલ્કલોઈડની મદદથી પેઈન કિલર્સ, કફ સિરપ અને કેન્સરની દવાઓ બનાવવામાં આવે છે. બુધવારે એક નિવેદન દ્વારા જાહેરાત કરતા, થાણે સ્થિત બજાજ હેલ્થ કેરે જણાવ્યું હતું કે તેને 12 જુલાઈના રોજ કેન્દ્ર સરકાર તરફથી બે પત્રો મળ્યા હતા, જેમાં પરવાના વિનાના અફીણ કેપ્સ્યુલ્સ, એપીઆઈ ગમ સ્ટ્રો અને અફીણના પ્રોસેસિંગમાંથી ઉત્પન્ન થાય છે. તેની પરવાનગી આપી છે.
— Bajaj Healthcare Ltd 🇮🇳 (@BajajHealthcare) July 13, 2022
ગુજરાતના સાવલીમાં તેના API મેન્યુફેક્ચરિંગ યુનિટમાં થશે પ્રોસેસ
આ અંગે બજાજ હેલ્થકેરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અનિલ જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સરકારને અફીણમાંથી આલ્કલોઈડ અને APIના સપ્લાય માટે બે કોન્ટ્રાક્ટ જીત્યા છે. આ કોન્ટ્રાક્ટ લાંબા સમય માટે છે અને આ ટેન્ડરમાં અમને એક પછી એક કોન્ટ્રાક્ટ મળવાની અપેક્ષા છે અને આગામી 5 વર્ષમાં લગભગ 6,000 ટન ખસખસ અને અફીણનું પ્રોસેસિંગ થશે. જૈને કહ્યું, દેશના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે સરકારે કોઈ ખાનગી કંપનીને અફીણ પ્રોસેસિંગમાંથી મુક્તિ આપી છે અને આ સેગમેન્ટમાં પ્રથમ વખત ટેન્ડર જીતવા બદલ અમે ખૂબ જ સન્માનિત છીએ. કંપનીએ જણાવ્યું હતું કે તે ગુજરાતના સાવલીમાં તેના API મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બંને ટેન્ડરનો અમલ કરી પ્રોસેસ કરાશે
અફીણનો જથ્થો સરકાર પૂરો પાડે છે તેથી કોઈ ઈનપુટ કોસ્ટ લાગતી નથી
બજાજ હેલ્થકેરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અનિલ જૈને કહ્યું કે, સરકાર દ્વારા EoI બહાર પાડવામાં આવ્યું ત્યારે આશરે 20-25 જેટલી કંપનીઓએ તેમાં રસ દાખવ્યો હતો. જૈને આ બિઝનેસમાં નફાનું પ્રમાણ ખૂબ જ ઉંચુ હોવાની પણ માહિતી આપી હતી. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રિડિએન્ટ્સ (API)ની કંપનીઓ સામાન્ય રીતે 18થી 35 ટકાનો નફો કમાતી હોય છે. જ્યારે અફીણના પ્રોસેસિંગમાં નફાનું પ્રમાણ તેનાથી પણ ઉંચુ હોય છે. ઉપરાંત અફીણનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવતો હોવાથી સમગ્ર કામગીરીમાં કોઈ ઈનપુટ કોસ્ટ પણ નથી લાગતી.