ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે ત્યારે શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા
રથયાત્રાને લઇ પોલીસનો લોખંડી બંદોબસ્ત
કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે
અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાનાર છે જેને લઈ શહેરમાં પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 12 જૂલાઈ સવારથી પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે અને શહેરીજનો અને રથયાત્રામાં જોડાનાર સંતો મંહતોની પણ સુરક્ષા કરશે.
રથયાત્રાના 21 કિમીના રૂટ પર લોખંડી બંદોબસ્ત
મહત્વનું છે કે શહેરમાં 21 કિ.મીના રૂટ પર ભગવાન જગન્નાથ રથ ઉપર વિરાજમાન થઈને નગરચાર્યાએ નીકળવાના છે એવામાં શહેરની સુરક્ષા કોઈ ખોટ રહી ન જાય તે માટે રથયાત્રા પૂર્વ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું તેમજ સુરક્ષાના ભાગ રૂપે પોલીસ જવાનોએ રિહર્સલ પણ કર્યું. આમ શહેરમાં ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે સુરક્ષાના ભાગ રૂપે શહેરમાં 42 DCP કક્ષાના અધિકારી, 74 ACP અધિકારીઓ, 230 PI પોલીસ અધિકારીઓ સહિત 607 PSI તૈનાત રહેશે.
લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા
આ સિવાય પણ રથયાત્રામાં 11,800 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ ખડે પગે સુરક્ષામાં તૈનાત રહેવાના છે. સાથે જ શહેરની સુરક્ષામાં 34 SRP કંપની અને CAPF 9 કંપનીઓને પણ સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા છે તેમજ સાથે ચેતક કમાન્ડોની 1 ટીમ તૈયાર રાખવામાં આવી છે રથયાત્રામાં સુરક્ષ વ્યવસ્થા માટે 5900 હોમગાર્ડ જવાનો, બૉમ્બ સ્કોડની 13 ટીમ અને QRTની 15 ટીમને ખડેપગે રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
94થી વધુ CCTV કેમેરાથી રૂટનું નિરીક્ષણ કરાશે
રથયાત્રાના રૂટ પર આવતા 8 પોલીસ સ્ટેશનના હદમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે તેમજ કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવનાર છે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે તે દરમિયાન 15 જેટલા ડ્રોનથી હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવશે સાથે ધાબા પોઇન્ટ આપી દૂરબીનથી બાજ નજર પણ રાખવામાં આવશે એટલું જ નહીં 94 થી વધુ CCTV કેમેરાથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે તે માટે પોલીસ ચોકીમાં કે તંબું બાંધીને મોનિટરિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.