બનાસકાંઠાના સતત 7માં દિવસ પણ ખેડૂતો 8 કલાકની વીજળી મામલે આંદોલન કરી રહ્યાં છે.
બનાસકાંઠામાં ખેડૂત આંદોલનનો સાતમો દિવસ
8 કલાક વીજળીની માગ સાથે આંદોલન
ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી નોંધાવશે વિરોધ
બનાસકાંઠામાં ખેડૂત આંદોલનનો સાતમો દિવસ
હાલમાં તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ભરઉનાળામાં ખેતીપાકને પણ પાણીની તાતી જરૂરીયાત હોય છે. ત્યારે ખેતીને અપાતા વીજ પુરવઠાને લઈ હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા અપૂરતા વીજ પુરવઠો આપવામાં આવતા ખે્ડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો ફાળવવામાં આવે તેવી માંગ સાથે બનાસકાંઠામાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.
આજે ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી નોંધાવશે વિરોધ
ખેડૂતોને વીજળી આપવા મુદ્દે જિલ્લાના દિયોદર, કાંકરેજ અને લાખણીમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિયોદરના વખા બસ સ્ટેશન પર 7 દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે. લોકોને ધરણામાં જોડાવવા ગામે ગામ અપીલ પણ કરવામાં આવી રહી છે. સળંગ 8 કલાક વીજળી આપવાની માંગ સાથે હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાખણી, દિયોદર અને કાંકરેજમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. તેમજ આજે ખેડૂતો ધરણાં સ્થળેથી દિયોદર SDM કચેરી સુધી ટ્રેક્ટકર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણી રજૂ કરશે.બીજી તરફ આજે આ મુદ્દે દિલ્લીમાં ગુજરાતના મંત્રી-આગેવાનો કેન્દ્રીય મંત્રીને મળશે
નોંધનીય છે કે, કનુ દેસાઇએ ગત શુક્રવારની સાંજ વેળાએ જાહેરાત કરતાં કહ્યું છે કે શનિવારથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે, ખેડૂતોને પુરતો વીજ પુરવઠો પૂરતો મળે તેની વ્યવસ્થા થશે તેમણે વીજ સંકટ પર ધ્યાન દોરતા વધુમાં જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી, ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા હતી. જરૂર પડ્યે ઉદ્યોગોના પાવર સપ્લાય પર કાપ મુકીશું. પણ આ તરફ ખેડૂતો હાથમાં આવેલો કોળિયો જવા દેવા માગતા નથી અને પોતાના હક્ક સમાન 8 કલાકની વીજળીની માંગ અને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટે અડગ છે. અને આજ કારણે સરકાર નમતું જોખી રહી ચર્ચાના ટેબલ પર આવવા તૈયાર થઈ ગઈ છે.
ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ
ઉલ્લેખનીય છે કે, ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, ગુજરાતમાં કોઈપણ ક્ષેત્રમાં વીજકાપ થતો નથી તો માત્રને માત્ર ખેતીમાં વીજકાપ કેમ? જ્યારે ઉનાળું પાક વાવેતર અશત: એટલે કે, 20 ટકા જમીનમાં અંદાજે વાવેતર થાય તો વીજ વપરાશ પ્રમાણમાં ઘણો ઓછો છે. જો હવે અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં UGVCLની તમામ કચેરીઓ એકસાથે તાળાબંધીનો સજ્જડ કાર્યક્રમમાં કરવામાં આવશે.