એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે રાઈટ્સ ઈશ્યુ દ્વારા 21,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાની જાહેરાત કરી છે. તેના એક દિવસ બાદ સોમવારે ટેલિકોમ ઉદ્યોગને બચાવવા માટે ચાર્જ વધારવા અને ટેક્સમાં ઘટાડો કરવાની વાત કહી હતી. મિત્તલે જણાવ્યું કે જ્યાં ઉદ્યોગના 35 ટકા મહેસૂલ, કર અને ચાર્જમાં સરકારને આપવામાં આવે છે ત્યાં જ ટેલિકોમ ક્ષેત્ર એજીઆર બાકી અને સ્પેક્ટ્રમ ચુકવણી માટે અસાધારણ દેવાના બોજા હેઠળ છે.
મિત્તલે સાથે જ કહ્યું કે એરટેલની 21,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાની યોજનાથી કંપનીને 'કામ કરવા માટે સામાન્ય રીતે હટીને' 5 જી સેવાઓ, ફાઈબર અને ડેટા સેન્ટર વ્યાપાર માટે રોકાણમાં તેજી લાવીને આગળ વધવા અને મોટા અવસરોનો લાભ ઉઠાવવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે ભારતમાં આવતા વર્ષના બીજા છ મહિનામાં 5જી સેવાઓ શરૂ થઈ જશે.
મિત્તલે કહ્યું કે એરટેલે માટે 'ઝડપતી આગળ વધવું', પોતાની વ્યવસ્થામાં વધુ રોકાણ કરવું અને બજારમાં લાભ ઉઠાવવાનો આનાથી સારો સમય નહીં હોય કારણ કે ઝડપથી વિકસતો દેશ છે અને વધારે ડિજિટલ સેવાઓને અપનાવી રહ્યો છે. તેમણે કહ્યું કે નાણા ભેગા કરવાનો અભ્યાસ આવતા વર્ષ માટે ટાળવો, કંપનીના ભવિષ્ય માટે ખતરો થઈ શકે છે કારણ કે આ સમયે વૃદ્ધિના મોટા અવરસો ચારે બાજુથી કંપનીને મળશે.
મિત્તલે કહ્યું કે, "અમે ખુબ મોટી ભુલ કરીશુ જો અમે આ સમયે સામાન્ય રૂપથી કામ કરતા રહ્યા." તેમણે કહ્યું કે એરટેલ પર દેવાનો સાધારણ બોજો છે. અજીઆરના બોજા, સ્પેક્ટ્રમ ચુકવણીનો બોજાએ કંપની પર જેવાનું એક સાધારણ દબાણ ઉભુ કર્યું છે. તેમણે જણાવ્યું કે કંપની દેવાનો લાભ ઉઠાવવા માટે સુધાર કરવા માંગે છે અને જરૂર પડવા પર વૃદ્ધિ માટે પૂંજી સુધી પહોંચ બનાવવા માંગે છે.