અમદાવાદમાં કાંકરિયાની રાઈડ તૂટ્યા બાદ હવે રાજકોટમાં નિયમોમાં છૂટ આપવામાં આવી છે. તંત્ર દ્વારા લોકમેળામાં રાઇડ્સ સંચાલકો માટે કડક નિયમો બનાવવાની જગ્યાએ નિયમોને હળવા કરતાં તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કાંકરિયા રાઇડ તૂટવાની ઘટના બાદ પણ રાજકોટ તંત્રને બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારાલોકમેળામાં રાઇડ્સ સંચાલકો માટે કડક નિયમો બનાવવાની જગ્યાએ નિયમોને હળવા કરવામાં આવ્યા છે. રાઈડ સંચાલકોએ નિયમોને લઈ બહિષ્કારની ચીમકી આપી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વિના જ રાઇડ્સ સંચાલકોને મંજૂરી આપવાની જાહેરાત કરાઈ છે.
બિલ અને ડ્રાઇવર સર્ટિફિકેટના બદલે સોગંદનામું રજૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. રાજકોટના મેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. અમદાવાદમાં કાંકરિયાની રાઈડ તૂટતા તંત્ર દ્વારા કડક નિયમો બનાવવાની જાહેરાત કરાઈ હતી. સીએમ રૂપાણીએ કડક નિયમો બનાવવાની વાત કહી હતી. ત્યારે હવે થોડો સમય વિત્યા બાદ તંત્ર પોતાના વાયદા ભૂલ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સળગતા સવાલ:
અમદાવાદની ઘટના બાદ પણ રાજકોટ તંત્રએ કેમ નથી લીધી કોઇ શીખ?
લોકમેળામાં રાઇડ્સ માટે નિયમોમાં કેમ છૂટછાટ અપાઇ?
આ નિયમો છૂટછાટ નથી લોકોના જીવના જોખમમાં મૂકવાની છૂટછાટ છે?
રાઇડ સંચાલકો સામે કેમ ઝૂક્યું તંત્ર?
ફિટનેસ સર્ટિફિકેટ વિના જ રાઇડ્સને મંજૂરી કેવી રીતે મળી શકે?
ખુદ CMએ જ નિયમ કડક કરવા કહ્યું હતું અને તેમના જ હોમટાઉનમાં નિયમોમાં છૂટ?
માત્ર એક સોગંદનામાથી શું લોકોની સુરક્ષાને ખાતરી મળશે?