કબજીયાતની સમસ્યા ઘણા લોકોને હોય છે. જેના કારણે આખો દિવસ બેચેની રહે છે. તે વ્યક્તિના રૂટિન અને કામને પણ પ્રભાવીત કરે છે.
ઘણા લોકોને હોય છે કબજીયાતની સમસ્યા
ગમેતેવી કબજીયાતની સમસ્યા થશે દૂર
બસ ફક્ત આ વસ્તુઓનું કરો સેવન
ખરાબ લાઈફસ્ટાઈન અને ભોજનના કારણે જંક ફૂડ, એક્સરસાઈઝની કમીના કારણે ઘણા લોકો કબજીયાતની સમસ્યાથી પરેશાન છે. કબજીયાતના કારણે રાત્રે ઉંઘ ઉડી જયા છે. દિવસે પણ બેચેની રહે છે. આ એક એવી સમસ્યા છે જેના કારણે દર્દીનું પેટ સાફ નથી થતું.
મળ ત્યાગમાં મુશ્કેલી આવે છે પેટ સાફ ન હોવાના કારણે આળસ આવે છે, ચિડિયાપણુ આવી જાય છે. પેટમાં દુખાવો, ઉલ્ટી, માથામાં દુખાવો, ભૂખ ન લાગવી જેવી સમસ્યા પણ થાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કિચનમાં રહેલી એક ખાસ વસ્તુ તમને આરામ અપાવી શકે છે.
કબજીયાત થવાના કારણ
ભોજનમાં રેસાવાળી વસ્તુઓની કમી
રાતમાં મોડુ ભોજન કરવું
પાણી ઓછુ પીવું
મેદાથી બનેલું મસાલેદાર ભોજન કરવું
ભોજન પચ્યા પહેલા જ ફરી ભોજન કરવું
મોડી રાત સુધી જાગવાની આદત
વધારે પ્રમાણમાં લાંબા સમય સુધી પેન કિલરનો ઉપયોગ કરવો
આ ઘરેલુ ઉપાયથી મળશે કબજીયાતમાં રાહત
સૂંઠ
બે કે ત્રણ ચમચી શેકેલા ચણા લઈ અને તેને પીસીને પાઉડર બનાવી લો. પછી તેમાં અડધી ચમચી જીરાનો પાઉડર ઉમેરો અને એક ચમચી સૂંઠ પાઉડર મિક્ષ કરો. આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરો અને બે વખત તેનું સેવન કરો. રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ આ મિશ્રણનું સેવન કરવાથી તમારી કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે.
જીરૂ-અજમાનું સેવન
બે ચમચી જીરૂ લઈ તેમાં 2 ચમચી અજમો મિક્ષ કરો. હવે એક ચમચી બ્લેક સોલ્ટ એડ કરો અને તેને મિક્સ કરીને કોઈ ડબ્બામાં રાખો. સવારે ખાલી પેટ આ મિશ્રણને એક ચમચી ખાઓ અને ત્યાર બાદ અડધો ગ્લાસ હુંફાળુ પાણી પીલો. તેનાથી પણ તમને કબજીયાતની સમસ્યામાં રાહત મળી શકે છે.
દિવેલ
જુની કબજીયાતથી પરેશાન છો તો રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં એકથી બે ચમચી દિવેલ એટલે કે એરંડીયાનુ તેલ નાખીને દૂધ પી લો, કબજીયાત દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે.
સુકી દ્રાક્ષનું સેવન
કબજીયાતમાં સુકી દ્રાક્ષનું સેવન ફાયદો પહોંચાડે છે. રોજ રાત્રે લગભગ 8થી 10 સુકી દ્રાક્ષ પલાળી નાખો. સવારે તેને દૂધમાં ઉકાળો અને આ દૂધનું સેવન કરો. તેનાથી રાહત મળશે.
વરીયાળી
વરીયાળી પાચન તંત્રમાં ગેસ્ટ્રિક એન્ઝાઈમ વધારે છે. દરરોજ અડધી ચમચી વરીયાળીના પાઉડને એક ગ્લાસ ગરમ પાણીની સાથે લો. આ સમસ્યા દૂર કરવાની સાથે પેટની સમસ્યા પણ દૂર કરે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.